Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત સરકારે કોરાણે મુકી દીધો

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (17:10 IST)
વિધાનસભા સત્ર દરમિયાન થયેલી ચર્ચામાં વડાપ્રધાન મોદીના સાંસદ આદર્શ ગ્રામ યોજના જેવા પ્રોજેક્ટને કોરાણે મૂકી દેવામાં આવ્યો છે, તો સ્વચ્છતા અભિયાન મિશનમાં ખૂદ કેન્દ્ર સરકારે ઓછા નાણાં ફાળવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.દેશમાં વિજ્ઞાપનથી લઇને સરકારી ઓફિસોમાં સ્વચ્છતા અભિયાનની વાતો થઇ રહી છે, પરંતુ હકીકતમાં યોગ્ય નીતિ અને કેન્દ્રનો ગુજરાતને અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016-17ની સરખામણીએ વર્ષ 2017-18માં ઓછા નાણાં ફાળવ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રૂપિયા 200 કરોડનો ઘટાડો કરાયો છે. કેન્દ્રએ ગુજરાતને વર્ષ 2016-17માં રૂપિયા 669 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જ્યારે વર્ષ 2017-18માં રૂપિયા 469 કરોડ ફાળવ્યા છે.આ સિવાય વિધાનસભા સત્રમાં જાણવા મળ્યું કે ખેલો ઇન્ડિયાની વાત વચ્ચે રાજીવ ગાંધી ખેલ અભિયાન યોજના પણ કોરાણે મૂકાઇ છે. કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં એકપણ રૂપિયાની સહાય કરી નથી. તો અન્ય માહિતી દરમિયાન પાકિસ્તાન જેલમાં હજુ પણ ગુજરાતના 433 જેટલા માછીમારો કેદ છે, વર્ષ 2017માં 510 જ્યારે 2018માં 177 માછીમારોને મુક્ત કરાયા હતા. બે વર્ષમાં કુલ 687 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

આગળનો લેખ
Show comments