Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન મેરીને ભારતીય જળસીમામાંથી 4 બોટ સહિત 24 માછીમારોનું અપહરણ કર્યું

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (14:52 IST)
પાકીસ્તાન મરીન સિક્યુરિટીએ ભારતીય જળસીમામાંથી 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ કર્યુ છે. છેલ્લા 10 દિવસમાં અપહરણની આ ચોથી ઘટના છે. ગત ૩૦મી ઓકટોબરના રોજ પાકિસ્તાને ૬૮ માછીમારોને કરાંચીની લાંડી જેલમાંથી મુક્ત કર્યા હતા. આ અંગે મળતી માહિતીનુસાર ભારતીય જળસીમામાં જખૌ નજીક દરિયામાં પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સીના જવાનોએ ફાયરિંગ કરીને માછીમારોને ડરાવી બંદૂકના નાળચે ઓખાની ચાર બોટ અને ૨૪ માછીમારોને ઉઠાવી ગયાની ઘટના બનતા ભારે રોષ વ્યાપી ગયો છે. ગત તા. ૭મીએ પોરબંદરની પ બોટ અને ૩૦ માછીમારોના અપહરણ કર્યાની ઘટના પણ બની હતી. એક અઠવાડિયા પહેલા બનેલા આ બનાવ બાદ ફરી જખૌ નજીક ભારતીય જળસીમામાં ચાંચિયાઓની જેમ પાક.મરીન એજન્સીના સિકયુરિટી જવાનોએ ભરી બંદૂકે ધસી આવી ઝૂમખામાં માછીમારી કરી રહેલા માછીમારોની બોટો પૈકી ઓખાની ચાર બોટોના અપહરણ કરી જતા માછીમારોમાં ભય છવાઈ ગયો છે.  

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments