Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોનાની રસી લેનારનો આંકડો 1 કરોડને પાર, દૈનિક 1 લાખથી વધુ લોકોનું રસીકરણ થાય છે

Webdunia
શનિવાર, 17 એપ્રિલ 2021 (13:25 IST)
ગુજરાતમાં રસી મેળવનારાની કુલ સંખ્યા 1 કરોડને પાર થઈ હતી. રાજ્યમાં અત્યારસુધી 87 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે બીજો ડોઝ પણ લઈ લીધો હોય એવા લોકોની સંખ્યા 13 લાખથી વધારે છે. ઉલ્લેખનીય છે કે 1 કરોડ લોકોને રસી અપાઈ છે છતાં હજુ સુધી કોઈને પણ રસીની ગંભીર આડઅસર થઈ હોવાનું નોંધાયું નથી. ગુજરાત સરકારે દૈનિક 2.5 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનાના શરૂઆતી દિવસોમાં દૈનિક 3થી 4 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી હતી, પરંતુ હાલમાં સ્પીડ પાછી ધીમી પડી ગઈ છે અને સરકારના ટાર્ગેટ કરતાં પણ ઓછું વેક્સિનેશન થઈ રહ્યું છે.


હાલમાં ગુજરાતમા દૈનિક 1થી 2 લાખની આસપાસ વેક્સિનેશન થાય છે. એપ્રિલના શરૂઆતના પહેલા 15 દિવસ જોઈને લાગતું હતું કે ગુજરાત ટૂંક સમયમાં વેક્સિનેશન મામલે નંબર 1 પર આવી જશે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્ય 2 નંબરથી 4 નંબર પર આવી ગયું છે.ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે, સાથે જ વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઈ છે. આગામી દિવસોમાં કોઈપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઈ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. કૈલાસનાથને રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેઓ નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો નિર્ણય લીધો હતો, જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને કર્મચારીની કોઈપણ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. દરમિયાન એક એપ્રિલથી શરૂ થનાર કોરોના વેક્સિન મેગા ડ્રાઈવની પૂર્વસંધ્યાએ સીએમએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રસી અને માસ્ક જરૂરી છે, કોરોના સામે રસી જ મોટું શસ્ત્ર છે, એક એપ્રિલથી 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments