Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબી દુર્ઘટનામાં કાળી ટીલી લાગતા ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (11:36 IST)
મોરબી પુલ દુર્ઘટનામાં 134 નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો. અનેક પરિવારો તબાહ થઈ ગયા. આંસુ થીજી જાય અને હૈયુ ધબકારો ચૂકી જાય તેવી આ ઘટનામાં હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ઝૂલતા પુલના સમારકામની જવાબદારી જે ઓરેવા ગ્રૂપને સોંપાઈ હતી, તેનો માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

પોલીસે તેનું નામ પણ FIR માં નથી નોંધ્યું કે તેને પકડવાની પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જેના પરથી મોરબી પોલીસ મુખ્ય આરોપીને જ છાવરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે મોટા મગરમચ્છને છોડીને નાની માછલીઓ પકડી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પોલીસે દુર્ઘટનામાં મેઈન્ટેન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સીઓને જવાબદાર ઠેરવીને નાના કર્મચારીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પુલ દુર્ઘટનાના કલાકો બાદ ક્યાં છે જયસુખ પટેલ ? શું ધરપકડના ડરથી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે ? મોરબી પોલીસ પણ કેમ જયસુખને છાવરી રહી છે ? કાર્યવાહીના નામે શું માત્ર નાના કર્મચારીઓને પકડીને પોલીસ સંતોષ માનશે ? આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સુંદર સેક્રેટરીનો ગુસ્સો

સંજય દત્તને પત્ની માન્યતાને આ સ્ટાઈલથી કર્યુ વિશ, પતિ પર આ રીતે લુટાવ્યો પ્રેમ, સ્પેશલ શેયર કર્યો વીડિયો

શું તમે ભારતનો સૌથી ભયાનક કિલ્લો જોયો છે? લોકો સૂર્યાસ્ત પછી જતા નથી

ગુજરાતી જોક્સ - મારી ગર્લફ્રેન્ડે મને તેના ઘરે બોલાવ્યો

એક સરદાર નવી નોકરીમાં જોડાયા,

વધુ જુઓ..

નવીનતમ

રોજ 60 મિનિટ ચાલવાથી કેટલી કેલરી બર્ન થાય છે અને હેલ્થને શું થાય છે લાભ ?

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

Kiss Day History & Significance કિસ ડે શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

Periods blood stains removing- બેડશીટ પર પીરિયડ્સ બ્લ્ડના ડાઘા દૂર કરવાના ટીપ્સ

Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર

આગળનો લેખ
Show comments