Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ઘેલા સોમનાથના જળાભિષેક માટે 351 ચૂકવવાનો આદેશ, લોકોએ કહ્યું આ તો ધર્મ વિરુદ્ધનો નિર્ણય

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2022 (13:11 IST)
રાજકોટ જિલ્લામાં આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં જળાભિષેક કરવા માટે ચાર્જ લેવાનો નિર્ણય લેવાતા ભક્તોમાં આક્રોશ જેવા મળી રહ્યો છે. આ પ્રસિદ્ધ યાત્રા ધામમાં આ નિર્ણય લેવાથી સ્થાનિકો અને જિલ્લાભરના લોકોમાં વિરોધનો સુર ઉભો થઈ રહ્યો છે. જસદણના નાયબ કલેક્ટર અને મંદિર ટ્રસ્ટે સાથે મળીને આ નિર્ણય લેતા જ ભાવિકોમાં રોષ ફેલાયો છે.જસદણના નાયબ કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે 351 રૂપિયાની પહોંચ લેવી પડશે તેવું બોર્ડ લગાવવામાં આવતાં મહાદેવ ભક્તો નારાજ થયાં છે. બીજી તરફ જસદણમાં આ મંદિર દ્વારા જળાભિષેક માટે પહોંચ લેવાનો નિર્ણય પરત લેવામા નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હોવાથી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આ બોર્ડને લઈને લોકોમાં આક્રોશ છે ત્યારે લોકોએ કહ્યું હતું કે, મંદિર અને તંત્રનો નિર્ણય ધર્મ વિરૂદ્ધ અને ખોટો છે. આ મંદિર એક યાત્રાધામ છે અને નાના માણસો પાસેથી 351 રૂપિયા લેવા એ વ્યાજબી વાત નથી. ઘેલા સોમનાથ મંદિરે દૂર-દૂરથી આવતા ભાવિકોને દાદાની પૂજા-અર્ચના અને જળાભિષેક કરવાનો પૂરો લાભ મળવો જ જોઈએ. તેનો કોઈ ચાર્જ હોવો જ ન જોઈએ.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments