Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ લંડનની મહિલા જૂનાગઢની જેલમાં સજા કાપશે

જાણો કેમ લંડનની મહિલા જૂનાગઢની જેલમાં સજા કાપશે
Webdunia
બુધવાર, 2 મે 2018 (12:10 IST)
ડિજિટલ ગુજરાતી માધ્યમોમાં હાલમાં ચાલી રહેલા એક રીપોર્ટ મુજબ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના હત્યા કેસમાં લંડનમાં રહેતી મહિલા સહિત બે આરોપીઓને ભારતમાં ડીપોર્ટ કરતાં અગાઉ લંડન ખાતેની કોર્ટે જેલના એક્સપર્ટ્સને જુનાગઢની જેલને તપાસવા એક ભારતમાં મોકલ્યાં હતાં. જેમણે જેલનું નિરિક્ષણ પણ કર્યું હતું. 
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2017ની 8મી ફેબૃઆરીએ રાત્રીના સમયે કેશોદના માણેકવાડાથી થોડેક દુર પાર્ક થયેલી એક કારમાંથી એક બાળકનુ અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  ત્યારે બાળકને બચાવવા માટે તેના પરિવારજને અપહરણકારો સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન અપહરણકારોએ તેને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં બે જણાંના મોત થયાં હોવાથી સમગ્ર બનાવ ડબલ મર્ડર કેસમાં ફેરવાયો હતો. પોલીસે જોકે, અપહરણકારોને ઝડપી લીધા હતા. 

આ બનાવમાં એલસીબીની તપાસમાં ગોપાલને દત્તક લેવાની કાર્યવાહી કરનાર એનઆરઆઇ મહિલા આરતી ધીર અને મૂળ માળિયા હાટીનાનાં રહેવાસી કેવલજીતસિંહ રાયજાદા આરોપીઓ હોવાનું બહાર આવ્યું હતું.આરતીએ ગોપાલને દત્તક લઇ તેના આધારે લંડનમાં તેનો મોટી રકમનો વીમો ઉતરાવી બાદમાં અહીં હત્યા કરાવી હતી. જેના આધારે તેણે ઇન્સ્યોરન્સ ક્લેમ કરી પૈસા ચાઉં કરી જવાનો કારસો રચ્યો હોવાનું ખુલ્યું હતું. 
જૂનાગઢ પોલીસે આરતી અને કેવલજીતસિંહને ભારત લાવવા વિદેશ વિભાગ મારફત કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન લંડનની કોર્ટે બંનેને ભારત ડીપોર્ટ કરતાં પહેલાં જૂનાગઢ જેલ ચેક કરવા માટે જેલ એક્ષ્પર્ટને જૂનાગઢ મોકલ્યા હતા. જે મુજબ લંડનનાં જેલ એક્ષ્પર્ટ જેમ્સ મેક માનુસ આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અને ગુજરાતનાં ઇન્ચાર્જે જેલ ડીજી તેજપાલસીંગ બીસ્ત સાથે જૂનાગઢ જેલનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ હજુ આગામી બેએક દિવસ સુધી અહીં રહેશે. અને હજુ જેલમાં નિરીક્ષણ કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments