Webdunia - Bharat's app for daily news and videos

Install App

થિયેટર માલિકોનો પદમાવત ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય આવકારુ છું - નિતિન પટેલ

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (15:00 IST)
આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિને લઈ તમામ ધારાસભ્યો હાજર રહ્યા છે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમણે ખેડૂતોને મળનારા સિંચાઈ માટેના પાણીથી લઈને 'પદ્માવત' વિવાદ અંગે વાતો કરી હતી. નીતિન પટેલે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને 15 માર્ચ સુધી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે.

ગુજરાત સરકાર ખેડૂતો માટે કામ કરે છે. માત્ર એટલું જ નહીં, તેમણે સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાત સરકારે ફિલ્મ 'પદ્માવત'ની રીલિઝ પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને કારણે ફિલ્મ રીલિઝ કરવી પડે એવી સ્થિતિ છે, ત્યારે સિનેમા માલિકોએ સ્વયંભૂ 'પદ્માવત' રીલિઝ ના કરવાના નિર્ણય સ્વીકારું છું. જ્યારે વિપક્ષ પર ટીપ્પણી કરતા પટેલે કહ્યું કે,પહેલી વખત વિપક્ષમાં ચૂંટાયેલા ધારાસભ્યો ઉત્સાહીમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે, રાજપૂતોના સ્વમાનમાં કોઈ ખોટ ના રહેવી જોઈએ અને સમગ્ર રાજ્યમાં 'પદ્માવત'નો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હોય ત્યારે ગુજરાતમાં ફિલ્મ પર પ્રતિબંધ રાખવો જોઈએ.
 

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments