Webdunia - Bharat's app for daily news and videos

Install App

Night Curfew - રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં મળી શકે છે રાહત

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (13:29 IST)
રાજ્યમાં ફરી એકવાર દિવસે ને દિવસે સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાપાયે ચલાવવામાં આવેલા રસીકરણ અભિયાનના લીધે કોરોનાની ત્રીજી લહેર ઓછી અસરકારક રહી છે. આજે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે..

મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધીનો થઈ શકે છે. રાજ્યના 8 મનપા વિસ્તાર સિવાયના 27 શહેરોમાંથી રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે હટાવવામાં આવે તેવી પણ શક્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપી બાબતે ચર્ચા થઈ હતી. આ નવી એસઓપીમાં રાત્રી કરફ્યુના સમયગાળામાં ફેરફાર કરવામાં આવી શકે છે

આજે કોરોનાના નવા 2560 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 8,812 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,70,117 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 96.85 ટકાએ પહોંચ્યો હતો. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 1,37,094 રસીના ડોઝ અપાયા હતા.
 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments