Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાન્યુઆરીમાં પણ રાત્રિ કરફ્યું યથાવત રહેશે કે નહી? જાણો સરકારનો જવાબ

Webdunia
શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (10:34 IST)
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી ગયા હતા. એટલા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોરોનાના કેસમાં વધારાના કારણે દિવાળી બાદ સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં રાત્રે કરફ્યું લગાવી દીધું છે. રાત્રિ કરફ્યુંના કારણે લોકો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ વિના બહાર નિકળી જશે નહી. જે લોકો કામ વિના કરફ્યુંના સમયે સસ્તામાં શહેરોના રસ્તા પર ફરી રહ્યા છે તેમના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ કરફ્યું વધારવામાં આવી શકે છે. 
 
ગુજરાત હાઇકોર્ટ, કોરોનાના મુદ્દે રાજ્યમાં દાખલ એક સૂઓમોટો અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે ક્રિસમસ, 31 ડિસેમ્બર, નવા વર્ષ અને ઉત્તરાયણના તહેવારો દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર છે. વકીલે કોર્ટને જણાવ્યું કે રાત્રિ જરૂરી છે અને આ કરફ્યું હજુ થોડો સમય ચાલુ રહેશે, કારણ કે તેનાથી કોરના કેસની સંખ્યા ખૂબ વધી ગઇ છે. 
 
ઉલ્લેખનીય છે કે નવા વર્ષના દિવસે લોકોને વધૂ છુટ મળવાના કારણે મોટી સંખ્યામાં લોકો ખરીદારી માટે એકત્ર થયા હતા. આ સાથે જ નવા વર્ષના દિવસે લોકો પોતાના સંબંધીઓના ઘરે મુલાકાત લેવા ગયા હતા. એટલા દિવાળી બાદ કોરોનાના કેસમાં વૃદ્ધિ થઇ અને સૌથી વધુ કેસ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં જોવા મળ્યા હતા. કોરોના પર અંકુશ મેળવવા માટે ફરીથી અનલોકની ગાઇડલાઇન વચ્ચે રાત્રિ કરફ્યુંનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ લગ્નમાં 200 લોકોની મર્યાદા ઘટાડીને 100 લોકો સુધી સીમિત કરી દીધી છે. સરકારના આ પ્રયાસોથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઇ ગયું છે. 
 
મહત્વપૂર્ણ એ છે કે 24 ડિસેમ્બરના રોજ રાજ્યમાં નવા 990 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1181 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,24,092 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments