Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકાર સોમવાર સુધીમાં 50 લાખ ખાતાઓમાં રૂપિયા 500 કરોડ જમા કરાવશે

Webdunia
શનિવાર, 25 એપ્રિલ 2020 (12:40 IST)
લૉકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં આ‌વતા 66 લાખ પરિવારોના ખાતામાં રૂ. એક હજાર નાખવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આગામી સોમવાર સુધીમાં 50 લાખ પરિવારના ખાતામાં એક એક હજાર લેખે કુલ રૂ.500 કરોડ જમા કરાવાશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. એનએફએસએ હેઠળ આવતા પરિવારો પૈકી જેમનો કાર્ડ નંબરનો છેલ્લો અંક એક અને બે છે તેમને અનાજનું વિતરણ તા. 25મીને શનિવારથી હાથ ધરાશે.

જે કાર્ડધારકનો કાર્ડ નંબરના છેલ્લો અંક 1 કે પછી 2 હોય તેમને શનિવારે તા. 25મીએ અનાજ મળશે. આવી જ રીતે જેમના કાર્ડનો છેલ્લો આંક 3 કે 4 હોય તેમને રવિવારે તા. 26મીએ અનાજ મળશે તેમ સત્તાવાર સૂત્રોનું કહેવું છે.  રાજ્યમાં 20મી એપ્રિલથી પાલિકા, મહાનગરપાલિકા અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં ન આવતા હોય તેવા વિસ્તારના ઉદ્યોગોને મંજૂરી અપાઈ છે. જેમાં આજદિન સુધીમાં 40 હજાર ઉદ્યોગો શરૂ થયા છે પરિણામે 5 લાખ શ્રમિક કામ કરી રહ્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments