Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં થયેલા અકસ્માતોને કારણે 277 કામદારોના મોત થયા

Webdunia
બુધવાર, 17 માર્ચ 2021 (10:58 IST)
ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે અનેક વખત ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યાં છે. રાજ્યમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી કે અકસ્માતના કારણે 277 કામદારોના મોત થયાં છે. ગુજરાત વિધાનસભામાં મંગળવારે શ્રમ અને રોજગાર મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં માહિતી પુરી પાડી હતી. સૌથી વધુ મોત ભરૂચ જિલ્લામાં 95, એ પછી અમદાવાદ જિલ્લામાં 61 અને વલસાડ જિલ્લામાં 38 મોતની ઘટનાઓ નોંધાઈ છે. 

શ્રમજીવીઓના મોતની ઘટના બાદ તેમના વારસોને વળતર આપવા અંગે સરકારે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ વળતર ચુકવાયું નથી પરંતુ અકસ્માત મોતના કિસ્સામાં મૃત્યુ પામનાર કામદારના વારસોને ઈએસઆઈ એક્ટ હેઠળ વળતર અપાય છે. બેદરકાર એકમો સામે ફોજદારી કેસ કરવામા આવે છે. ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે થયેલા અકસ્માતોમાં માત્ર ભરુચ જિલ્લામાં જ 38 એકમો સામે 40 ફોજદારી કેસો દાખલ કરવામાં આવ્યાં છે. ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ બને છે અને તેમાં કામ કરનારા મજુરોના મોત થાય છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં આગની 26 ઘટનાઓ બની હતી. જેમાં 15 લોકોના મોત નિપજ્યાં હતાં અને 12 કામદારો ઘાયલ થયાં હતાં. આગ લાગવાના કારણોમાં શોર્ટ સર્કિટ, હટ મેટલ લેટિંગ વગેરે હોવાનું સરકારનું કહેવું છે. આવી બાબતોમાં બેદરકારી દાખવવા બદલ 6 કારખાના સામે કારખાના ધારા હેઠળ પ્રતિબંધાત્મક હૂકમો પણ કરવામાં આવ્યાં છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments