Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાની અસરને કારણે રાજ્યમાં અંગદાનનું પ્રમાણ 50 ટકા સુધી ઘટ્યું, છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ અંગદાન કરનારા રાજ્યોમાં ગુજરાત 9મા સ્થાને

Webdunia
શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (11:01 IST)
કોરોના વાયરસે 2020ના સમગ્ર વર્ષને બાનમાં લઇ લીધું હતું અને તેની અસર અંગદાનના પ્રમાણમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં વર્ષ 2019 કરતાં વર્ષ 2020માં અંગદાનના પ્રમાણમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. 2019માં 815 જ્યારે 2020માં કુલ 439 લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું. 2018થી 2020 એમ ત્રણ વર્ષ દરમિયાન સૌથી વધુ અંગદાન કરવામાં તામિલનાડુ મોખરે જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે.
2019માં અંગદાનના પ્રમાણમાં વધારો થયો હતો
 
ગુજરાતમાં 2018માં 145 દ્વારા મૃત્યુ બાદ જ્યારે 265 દ્વારા જીવતી વખતે એમ કુલ 410 લોકો દ્વારા અંગદાન કરાયું હતું. 2019માં અંગદાનના પ્રમાણમાં વધારો થયો હતો અને 168 લોકો દ્વારા મૃત્યુ બાદ, 647 લોકો દ્વારા જીવતી વખતે અંગદાન કરવામાં આવ્યું હતું. પરંતુ 2020ના પ્રારંભથી જ કોરોનાએ કેર વર્તાવતા અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. ગત વર્ષે 97 લોકો દ્વારા મૃત્યુ બાદ અને 342 લોકો દ્વારા જીવતા અંગદાન કરવામાં આવ્યું હતું. આમ, 2019 કરતાં 2020માં અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં 2019 કરતાં 2020માં અંગદાનના પ્રમાણમાં અડધોઅડધ ઘટાડો નોંધાયો હતો. 2019માં સમગ્ર દેશમાં 12 હજાર 746  દ્વારા જ્યારે 2020માં 6 હજાર 806 લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું.
કોરોનાના ભયને કારણે અંગદાનનું પ્રમાણ સામાન્ય રહ્યું
 
જાણકારોના મતે ગત વર્ષે લોકડાઉન તેમજ કોરોનાના ભયને કારણે અંગદાનનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. પરંતુ હવે 2021ના વર્ષથી અંગદાન કરવાની સ્થિતિમાં સુધારો આવે તેવો આશાવાદ છે. 2018થી 2020 એમ ત્રણ વર્ષમાં સૌથી વધુ અંગદાન કરનારા રાજ્યોમાં તામિલનાડુ 4756 સાથે મોખરે, દિલ્હી 5365 સાથે બીજા અને મહારાષ્ટ્ર 3057 સાથે ત્રીજા સ્થાને છે. જોકે, સૌથી વધુ અંગદાન કરનારા રાજ્યોમાં ગુજરાત ટોચના 8 રાજ્યોમાં પણ નથી. ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં 410 દ્વારા મૃત્યુ બાદ અને 1254 દ્વારા જીવતી વખતે અંગદાન કરવામાં આવ્યું હતું.
 
ગુજરાતમાં છેલ્લા 13 વર્ષમાં મૃત દાતા કિડની પ્રત્યારોપણ 943 રહ્યું
 
એક અહેવાલ પ્રમાણે વાર્ષિક ધોરણે કરવામાં આવતા ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. પરંતુ તેમ છતાં ભારતમાં અંગદાનનો દર નબળો જોવા મળે છે. ભારતમાં પ્રતિ મિલિયને અંગદાનનો દર 0.86 છે જ્યારે તેની સરખામણીમાં સ્પેનમાં 49.9, અમેરિકામાં 31.96 પ્રતિ મિલિયન દર જોવા મળે છે. અંગદાન પ્રતિજ્ઞાા અંગદાન જાગૃતતાનો તાર્કિક સંકલ્પ છે.
 
અમદાવાદમાં અંગદાન અંગે પ્રતિજ્ઞા લેનારની સંખ્યામાં વધારો 
 
છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં અંગદાન અંગેની જાગૃતિ અને અંગદાન અંગેની પ્રતિજ્ઞાા લેનારની સંખ્યામાં વધારો થયો છે. આમ, છતા આપણે  લાઇવ ડોનર્સ ઉપર આધાર રાખવો પડે નહીં અને કેડેવર ઓર્ગન ડોનેશન મારફતે જરૃરિયાતને પહોંચી વળીએ એવી પરિસ્થિતિ ઊભી કરવા માગીએ છીએ. આવી સ્થિતિમાં ૧૦ લાખ લોકો અંગદાન માટે પ્રતિજ્ઞાા લે તે માટે પ્રયત્ન શરૃ કર્યા છે તે માટે યંગ ઇન્ડિયા અને તેના જેવી સંસ્થાની મદદ જરૂરી બનશે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments