Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રમ અને રોજગાર વિભાગે લીધો મોટો નિર્ણય, કોન્ટ્રાકટર્સને લાયસન્સ રિન્યુ કરાવવામાંથી આપી મુક્તિ

Webdunia
બુધવાર, 8 એપ્રિલ 2020 (14:16 IST)
કોરોનાવાયરસ ફેલાવાને કારણે હાલમાંચાલી રહેલા લૉકડાઉનને ધ્યાનમાં લઈને શ્રમ અને રોજગાર વિભાગે કેટલાક લેબર કોન્ટ્રાકટર્સને હાલ પૂરતી લાયસન્સ રિન્યુ કરાવવામાંથી મુક્ત આપી છે. 
 
તા.4 એપ્રિલ, 2020ના રોજ બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં શ્રમ અને રોજગાર વિભાગે  સ્ટેટ માઈગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ એકટ 1979નીકલમ 9 (3)ની જોગવાઈઓ હેઠળ  અને ઈન્ટર સ્ટેટ માઈગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) (ગુજરાત) રૂલ્સ 1981ની હેઠળ નિર્દેશ આપ્યો છે કે  જે કોન્ટ્રાકટરોનાં લાયસન્સ માર્ચ, એપ્રિલ અને મે મહીનામાં રિન્યુ કરવાનાં થતાં હશે તેમને તા.  15 મે સુધી લાયસન્સ  રિન્યુ કરવાનો નિયમ લાગુ પડશે નહી. 
 
સમાન પ્રકારે  શ્રમ અને રોજગાર વિભાગ જણાવે છે કે  એક અન્ય જાહેરનામા પ્રમાણે  કોન્ટ્રાક્ટ લેબર   (રેગ્યુલેશન એન્ડ એબોલિશન )(ગુજરાત) એકટ 1970ની કલમ 13(3) હેઠળ  અને કોન્ટ્રાક્ટ લેબર ( રેગ્યુલેશન એન્ડ એબોલિશન )(ગુજરાત) નિયમો 1972ના નિયમો 27 અને 29 હેઠળ પણ આ ત્રણ માસના ગાળામાં જેમનાં લાયસન્સ રિન્યુ કરવાનાં થતાં હશે  તેમને પણ આ નિયમ 15મે, 2020 સુધી લાગુ પડશે નહી.
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે લેબરકોન્ટ્રાકટરે તેમનાં લાયસન્સ યોગ્ય સમયના અંતરે રિન્યુ કરાવવાનાં હોય છે. 
વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે “ સંબંધિત કાયદા મુજબ લાયસન્સની જરૂરિયાત બાબતે અમે ખૂબ કડક છીએ. આમ છતાં અમને જણાયુ છે કે હાલમાં ચાલી રહેલી લૉકડાઉનની સ્થિતિમાં કોન્ટ્રાકટરો માટે જરૂરી પેપરવર્ક કરવાનુ શક્ય બનશે નહી.  આને પરિણામે અમેલેબર કોન્ટ્રાકટરોને લાયસન્સ રિન્યુ કરાવવામાંથી કામચલાઉ રાહત આપી છે. “
 
સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ ૧૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૩૧ ગુનાઓ દાખલ કરી ૨૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ૩૪૬ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૬૪ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
 
પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૧૫૪૧ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૬૭૭ તથા અન્ય ૧૬૨ ગુનાઓ મળી કુલ ૨૩૮૦ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૩૯૫૬ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૮૭૧૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments