Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીધામમાં ધો.૧૦-૧૨માં ભણતાં કિશોર-કિશોરીનો માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (12:30 IST)
કચ્છના ગાંધીધામમાં અભ્યાસ કરતા કિશોર-કિશોરીએ સોમવારે બપોરે માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી છવાઈ ગઈ છે. ખોડીયારનગર ગોપાલપુરી ઝુંપડપટ્ટી પાછળ ફાટક નજીક બપોરે એકાદ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  આ ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ બેઉ કિશોર-કિશોરીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મૃતક કિશોર પાસેથી મળેલાં આઈકાર્ડમાં તેનું નામ અશોક મોહનસિંગ રાજપુરોહિત અને તે આનંદમાર્ગ હાઈસ્કુલમાં ધોરણ 10માં ભણતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે, મૃતક કિશોરી પાસેથી ગાંધીધામી પી.એન.અમરશી હાઈસ્કુલનું ધોરણ-12નું ઓળખપત્ર મળી આવ્યું છે. જેમાં તેનું નામ અંજલિ સવર્ણસિંગ રાજપુરોહિત લખાયેલું છે. પોલીસે ઓળખપત્રના આધારે બેઉનાં વાલીવારસોને જાણ કરી ઓળખ નિશ્ચિત કરવા સાથે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments