Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૫ મગર બચાવાયા

Webdunia
શનિવાર, 17 ઑગસ્ટ 2019 (15:19 IST)
વડોદરામાં ૩૧મી જુલાઇએ આવેલા ભયાનક પૂર બાદ આજ સુધીમાં ૩૫ મગરને રેસ્કયુ કરવામાં આવ્યા છે. વન ખાતાએ જણાવ્યા અનુસાર વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્ર્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વિશ્ર્વામિત્રી નદીમાં રહેતા મગરો પણ શહેરમાં આવી પહોંચ્યા હતા.

૩૧ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધીમાં વડોદરામાં ૫૦૦ મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો અને વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં મગર દેખાવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. ૮ ઑગસ્ટ સુધીમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ૨૨ મગરને પકડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ જુદા જુદા સ્થળેથી ૧૩ મગર રેસ્કયુ કરવામાં આવ્યા છે. વડોદરા વન વિભાગના અધિકારી નિધી દવેએ જણાવ્યું છે કે, વડોદરા જંગલ વિભાગ ઉપરાંત એનડીઆરએફની કુશળ ટીમ અને અન્ય એનજીઓના કાર્યકરો પણ મગર રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. વિશ્ર્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થઈ ધાધર નદીને મળે છે. માનવામાં આવે છે, કે બન્ને નદીઓ મગરનું મુખ્ય રહેઠાણ છે. આશરે ૨૫૦ જેટલા મગર બન્ને નદીઓમાં રહે છે. વડોદરાના કલાલી ગામ ઉપરાંત સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડ, ફતેહગંજ, સયાજીગંજ, રાજમહેલ રોડ તેમજ એકોટા વિસ્તારમાંથી મગર પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments