Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં થઈ ગીરના બબ્બર શેરની એન્ટ્રી, હાથીને પણ પછાડી દે એટલો વજનદાર છે આ સિંહ

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:00 IST)
સુરતમાં આવી ગયો છે બબ્બર શેર. જો આ વાંચીને તમે એવું વિચારતા હોવ કે ગીરથી હવે સુરતમાં સિંહ લાવવામાં આવી રહ્યા છે કે શું? તો તમને જણાવી દઇએ કે હા ગીર જંગલનો જ રાજા બબ્બર શેર સુરતમાં આવી ગયો છે પણ સ્કલ્પચર રૂપે. જી હા, સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે.

હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર છે. 40 હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને આ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. સુરતના વરાછા શ્યામ ધામ ચોક પાસે આ સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે. જેની લંબાઈ 31 ફુટ અને પહોંળાઈ 20 ફુટ છે. શ્રમિકોની 100 દિવસની મહેનત બાદ આ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, આટલું વજનદાર સ્કલ્પ્ચરની જાળવણી કરવી પણ જરૂરી છે અને આ તૈયાર કરનાર એક આર્ટિસ્ટનું એમ પણ કહેવું છે કે જો તેની જાળવણી સારી રીતે કરવામાં આવે તો 200 વર્ષ સુધી સ્કલ્પચર રહેશે અને સુરતની શાન મનાશે.
સિંહનું સ્કલ્પચર બનાવવા છેલ્લા એક વર્ષથી મહેનત અને રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું. સૌથી પહેલા 2 ફુટનો માટીનો સિંહ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌથી સારો એશિયાટીક સિંહ ક્યાં છે એની તપાસ કરવામાં આવી હતી અને તેના પર રિસર્ચ થયું હતું. કેટલાંય આર્ટિસ્ટે ત્રણ દિવસમાં 24 કલાક સિંહની સામે બેસીને 400 સ્કેચ તૈયાર કર્યા હતાં અને 700 ફોટોગ્રાફ પાડ્યા હતાં. સિંહની ચાલ અને સિંહના તમામ અંગો વિશે વિસ્તતમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. વિવિધ સિંહોના ફોટોગ્રાફ પાડવામાં આવ્યા હતા અને સિંહના વીડિયો પણ જોવામાં આવ્યા હતા. આટલી મહેનત બાદ આ સિંહનું સ્કલ્પર બનીને તૈયાર થયું હતું.
ગર્જના કરતા બબ્બર સિંહનું આ સ્કલ્પચર એટલું આકર્ષક છે કે ત્યાંથી આવન-જાવન કરતા દરેક લોકો આ સિંહને જોવા ઊભા રહી જાય છે. જો તમારે પણ ક્યારેક સુરત જવાનું થાય તો ત્યાં આ બબ્બર શેરનું સ્કલ્પચર જોવાનું ન ચૂકતા.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments