Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 9 સામે છેતરપિંડની ફરિયાદ

Webdunia
શનિવાર, 3 નવેમ્બર 2018 (08:20 IST)
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા સહિત 9 લોકો સામે છેતરપિંડની ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં ટ્રસ્ટ બનાવ્યા બાદ સ્કૂલ બંધ થઈ જતા 12 કરોડ 96 લાખ રૂપિયા પરત નહીં આપતા પોલીસ કમિશનરને વકીલ દ્વારા અરજી કરાઈ હતી. જેથી ડી.કે.સખીયા સહિત 9 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.અરજીકર્તા સિદ્ધાર્થ કામદારે જણાવ્યું કે, ડી.કે.સખીયા તેમના પુત્ર જીતુ સખીયા, બિપીન સાવલીયા, અશોક ડોબરીયા, વિનોદ શેખલીયા, વિજય ડોબરીયા, સંજય ટીંબડીયા, વલભ શેખલીયા અને મનિષા ડોબરીયા વિદ્યા પ્રસારણના ટ્રસ્ટી છે. વર્ષ 2017માં શાળા કોલેજના સંચાલન માટે રૂપિયાની જરૂરીયાત હોવ અને પ્રવેશ થયા બાદ લોન પરત આપવાની વાત કરી હતી. ફરિયાદી સિદ્ધાર્થ કામદાર અને તેના પરિવારજનોએ કટકે કટકે તેઓના પર્સનલ ખાતામાંથી રૂ.1,29,60,000 બેંક દ્વારા ટ્રસ્ટના ખાતામાં ફેરવ્યા હતા જે રકમ ટ્રસ્ટીઓએ જૂનમાં ચૂકવી નથી. ટ્રસ્ટીઓએ હાથ ઉંચા કરી નાંખ્યા છે અને એક રૂપિયો પરત કર્યો નથી. સ્કૂલ પણ બંધ કરી દીધી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments