Webdunia - Bharat's app for daily news and videos

Install App

નલીન કોટડિયા લાપતા બન્યા બાદ રહી રહીને પોલીસ જાગી, વિદેશ ભાગે નહીં તે માટે લુકઆઉટ નોટિસ જારી

નલીન કોટડિયા લાપતા બન્યા બાદ રહી રહીને પોલીસ જાગી   વિદેશ ભાગે નહીં તે માટે લુકઆઉટ નોટિસ જારી
Webdunia
મંગળવાર, 15 મે 2018 (12:30 IST)
કરોડોના બીટ કોઇન પ્રકરણના મુખ્ય સુત્રધાર નલીન કોટડિયાને પોલીસે ધરપકડ વોરંટ ઇસ્યું કરીને લુકઆઉટ નોટિસ બજાવી છે. કોટડિયા તેમ છતાં નહી મળી આવે તો સીઆઇડી ક્રાઇમ ભાગેડુ જાહેર કરવાની પણ કાર્યવાહી કરશે. નલીન કોટડિયાને આટલા દિવસ ભાગવા માટે મોકળું મેદાન આપ્યા બાદ રહી રહીને પોલીસ જાગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીટ કોઇન કેસની તપાસમાં સીઆઈડી ક્રાઇમે કિરીટ પાલડીયાની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં નલીન કોટડિયાને ૬૬ લાખ રૃપિયા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ કોટડિયાને સીઆઇડી ક્રાઇમે બે વખત સમન્સ ઇસ્યુ કર્યા હતા.

જો કે કોટડિયાએ પત્ર લખીને શનિવારે જાતે સીઆઇડી સમક્ષ હાજર થવાની ખાતરી આપી હતી ત્યારબાદ પણ ગુજરાત બહાર ભાગી ગયા હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે તેમની ધરપકડ કરવા માટે છ ટીમો ગુજરાત અને રાજય બહાર કાર્યરત કરવામાં આવી છે. બીટ કોઇનની તપાસ તેજ થઇ રહી હતી પરંતુ કોટડિયા પોલીસને હાથ તાળીને આપીને ભાગી જતાં હવે પોલીસ પણ મુંઝવણ અનુંભવી રહી છે, તપાસમાં પણ વિલંબ આવી ગયો છે. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ કોટડિયા મોબાઇલ પણ ઘેર મૂકીને જતા રહ્યા હોવાથી લોકેશન મળતું નથી, જો કે તેઓ વિદેશ ભાગી ના જાય તે માટે સીઆઇડી ક્રાઇમે દેશના તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જારી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?

વધુ જુઓ..

નવીનતમ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

આગળનો લેખ
Show comments