Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંબેડકરની પ્રતિમાનું અપમાન: રોષે ભરાયેલા દલિતોએ કચ્છમાં રસ્તા બ્લોક કર્યાં

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (15:45 IST)
કચ્છના ભીમાસર ગામે આંબેડકરની પ્રતિમાને જુતાનો હાર પહેરાવ્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા દલિતો 24 કલાક બાદ પણ આરોપીઓની ધરપકડ ન થતા રસ્તા પર ઉતરી આવતા કચ્છ જતો-આવતો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. દલિતોએ રેલવે ટ્રેક પર ધરણા શરુ કરતા રેલવે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે.બુધવારે રાત્રે અંજાર તાલુકાના ભીમાસર ગામે આંબેડકરની પ્રતિમાને કોઈ જુતાનો હાર પહેરાવી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા, અને 24 કલાકની અંદર આ કૃત્ય કરનારાને પકડવા માટે પોલીસને ચેતવણી આપી હતી. જોકે, પોલીસ આરોપીને પકડી ન શકતા દલિતોએ ગાંધીધામ જતા રેલવે ટ્રેકને બ્લોક કરી દીધો હતો, જેના કારણે અનેક ટ્રેનોને વિવિધ સ્ટેશનોએ અટકાવવી પડી હતી. ટોળાંએ ભચાઉ-અંજાર હાઈવે પણ બ્લોક કરી દેતા ગાંધીધામ તેમજ ભૂજ તરફ જતો ટ્રાફિક અટવાઈ ગયો હતો. ભીમાસર ગામના સરપંચ દિનેશ ટુંગરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ જ્યાં સુધી આરોપીઓને નહીં પકડે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સ્થિતિની ગંભીરતાને જોતા વધારાનો પોલીસ કાફલો વિવિધ હાઈવે પર તૈનાત કરવામાં આવ્યો છે. અંજાર અને ભચાઉ તાલુકામાં પણ હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. સ્થિતિ વણસે નહીં તે માટે અહીં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments