Webdunia - Bharat's app for daily news and videos

Install App

સતત આઠ વર્ષથી પાલન નહીં થતાં ફી નિર્ધારણ બાબતે વાલીઓ હવે ‘ધારાસભ્યો’ને પાઠ ભણાવશે

સતત આઠ વર્ષથી પાલન નહીં થતાં ફી નિર્ધારણ બાબતે વાલીઓ હવે ‘ધારાસભ્યો’ને પાઠ ભણાવશે
Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (14:27 IST)
શિક્ષણના અધિકાર કાયદાનો અમલ નહીં કરવા તથા ફી નિર્ધારણ કાયદામાં મુર્ખ બનાવવા જેવા ઘટનાક્રમના વિરોધમાં વાલીઓએ રાજયના તમામ 182 ધારાસભ્યોને પત્ર પાઠવીને નવતર વિરોધ કરવાનું નકકી કર્યું છે. શિક્ષણ અધિકાર કાયદાને આવતીકાલે 1લી એપ્રિલે 8મું વર્ષ બેસી રહ્યું છે તેને ધ્યાને રાખીને કાલે જ તમામ 182 ધારાસભ્યોને પત્ર પાઠવીને વાલીઓનો ઉપયોગ માત્ર વોટબેંક તરીકે નહીં કરવા અને મૂર્ખ બનાવવાનું બંધ કરવાનો સંદેશ પાઠવવામાં આવશે.

અમદાવાદના લો ગાર્ડન ખાતે આવતીકાલે રાજયભરના વાલીઓ એકત્રીત થશે અને વાલી સ્વરાજ મંચના બેનર હેઠળ તમામ 182 ધારાસભ્યોને પત્ર પાઠવવામાં આવશે. સોમવારે ગાંધીનગર ખાતે ધારાસભ્યોના નિવાસે આ પત્રો હાથોહાથ સુપરત કરવામાં આવશે. વાલી સ્વરાજ મંચના સુખદેવભાઈ પટેલે કહ્યું કે રાજયની શાળાના વિદ્યાર્થીઓ-વાલીઓ પર આર્થિક બોજ માટે તમામ ધારાસભ્યો જવાબદાર હોવાનું દર્શાવવા માટે તમામ ધારાસભ્યો પર દબાણ સર્જવાના ઈરાદે આ વ્યુહ અપનાવવામાં આવ્યો છે.વાલીઓ દ્વારા ફી નિર્ધારણનો અસરકારક અમલ કરાવવા તથા શિક્ષણ અધિકાર કાયદાને યોગ્ય રીતે લાગુ પાડવા માટે અનેક રજુઆતો કરી છે. પરંતુ રાજયના શિક્ષણપ્રધાન દ્વારા કોઈ પગલા લેવામાં આવી નથી. રાજય સરકાર પર ભરોસો ઉઠી ગયો છે એટલે તમામ ચુંટાયેલા ધારાસભ્યોને જવાબદારી સમજીને કથળતી શિક્ષણ વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે આગળ આવવાની માંગ કરવામાં આવશે.ખાનગી શાળાએ આડેધડ ફી વસુલે છે. રાજય સરકારે ફી નિયમન લાગુ પાડવાની જાહેરાત કરવા છતાં અસરકારક અમલ કરાવતી નથી.શાળાઓને છાવરી જ રહી છે. આ સિવાય શિક્ષણ અધિકારી કાયદાનો પણ અમલ કરાવાતો નથી.શિક્ષણ અધિકાર કાયદાને આઠ વર્ષ થવા છતાં અમલની દિશામાં રાજય સરકાર ગંભીર પ્રયાસો કરતી નથી. ખાનગી શાળાઓ વાલીઓ, વિદ્યાર્થીનુ શોષણ જ કરી રહી છે. ફી નિર્ધારણ મામલે શાળાઓ દ્વારા વિદ્યાર્થી-વાલીઓને પરેશાન કરવામાં આવી રહ્યાના દાવા સાથે વાલીઓએ ટોચની 22 શાળાઓના હિસાબોની માહિતી માંગતી માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી કરી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments