Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુકેની કંપનીઓ તાપી નદીની સફાઈ માટે સુરત કોર્પોરેશનની મદદ કરશે

યુકેની કંપની
Webdunia
શનિવાર, 24 માર્ચ 2018 (14:06 IST)
સુરતની તાપી નદીમાં વધી ગયેલી પાણીજન્ય વનસ્પતિ અને શેવાળની સમસ્યાને દૂર કરવા માટે UKની વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કાયમી સોલ્યુશન આપે તેવી શક્યતા જણાઈ રહી છે. યુનાઈટેડ કિંગડમ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી(UKTI)ના બિઝનેઝ ડેલિગેશન ગુરુવારથી સુરતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ પ્રતિનિધિ મંડળે SMCના અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે કોઝવેની મુલાકાત લીધી હતી અને નદીમાં રહેલી જળકુંભીનું નિરિક્ષણ કર્યુ હતું.

UKTI ડેલિગેશનના હેડ રુપી નાન્દ્રાએ મીડિયાને જણાવ્યું કે, આટલી સુંદર નદીમાં આટલા મોટા પ્રમાણમાં શેવાળ અને લીલ જોઈને અમે આશ્ચર્યમાં મુકાઈ ગયા. અમે શેવાળના સેમ્પલ લીધા છે અને પાણીમાં તેના ગ્રોથને અટકાવવા માટે હવે એક કાયમી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. અમે આ સેમ્પલ લંડન લઈ જઈશું.નાન્દ્રાએ આગળ જણાવ્યું કે, અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને UKની વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે બિઝનેસ પાર્ટનરશિપની ઓફર આપી છે. અમે તંત્રને પાણીમાંથી પાણીજન્ય વનસ્પતિ દૂર કરવાની વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી ઓફર કરી છે. UKની Eden Eco Solutionના મુખ્ય અધિકારીએ આ બાબતે જણાવ્યું કે, નદીમાં તાત્કાલિક સફાઈની જરુર છે, નહીં તો વર્ષેને વર્ષે આ પાણીજન્ય વનસ્પતિની સમસ્યા વધતી જશે અને એક દીવસ એવો આવશે કે નદી સુકાઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

વધુ જુઓ..

નવીનતમ

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

આગળનો લેખ
Show comments