Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યસભાની ચૂંટણી : ભાજપના કિરિટસિંહ રાણા અને અપક્ષ ઉમેદવાર પી કે વાલેરાએ ફોર્મ પાછું ખેંચ્યું

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (16:13 IST)
રાજ્યસભા માટે ભાજપમાંથી ત્રીજા ઉમેદવાર તરીકે કિરિટસિંહ રાણા અને પી કે વાલેરાએ અપક્ષ ઉમેદવવાર તરીકે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહિં થાય. ગુજરાતમાંથી ચારેય બેઠકો બીનહરિફ ઘોષિત કરવામાં આવતા, ગુજરાતમાંથી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા ભાજપમાંથી જ્યારે નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક કોંગ્રેસમાંથી રાજ્યસભામાં બીનહરીફ ઉમેદવાર તરીકે જશે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપમાંથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યા પછી ભાજપમાંથી કિરિટસિંહ રાણાને ફોર્મ ભરાવવામાં આવ્યું હતું.

જ્યારે કોંગ્રેસે નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકને રાજ્યસભામાં મોકલવા મન બનાવી લેતાં ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી પીકેવાલેરાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન ગાંધીનગરમાં જીતુ વાઘાણી અને શૈલેષ પરમાર વચ્ચે મિટિંગ યોજાયી હતી. એક તબક્કે પોતપોતાના ત્રીજા ઉમેદવારને પરત ખેંચવા ચર્ચા કરવામાં આવી હતી. જો કે તે પછી ઉભા રાખવામાં આવેલા ત્રીજા ઉમેદવારને પાછા ખેંચવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આમછતાં ફોર્મ પાછું ખેચવા બાબતે પહેલે આપ પહેલે આપ જેવો ઘાટ જોવા મળ્યો હતો. આખરે બંને પક્ષના ત્રીજા ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા એકસાથે સંલગ્ન અધિકારી પાસે પહોંચ્યા હતા. ભાજપમાંથી કિરિટસિંહ રાણા અને પી કે વાલેરાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને પરિણામે હવે ગુજરાતમાંથી બે ભાજપના સભ્યો મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના બે સભ્યો નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક બીનહરીફ રીતે રાજ્યસભામાં જશે. ગુજરાતમાં હવે રાજ્યસભાની ચૂંટણીને લઈને મતદાન નહિં થાય. ગુજરાતમાં ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂરી કરનારા અરુણ જેટલીને આ વખતે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments