Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 જાનૈયાઓનો ભોગ લેનાર બ્રિજ પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યો છે, અકસ્માતમા બેદરકારી કોની? સીએમની 4 લાખની સહાયની જાહેરાત

27 જાનૈયાઓનો ભોગ
Webdunia
મંગળવાર, 6 માર્ચ 2018 (13:54 IST)
બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રિજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 27થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે પુલ પરથી ટ્રક ખાબકી તે પુલ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો છે. પુલના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

એકવાર પુલ રીપેર થયા પછી તેમાં નવી ક્ષતિઓ જણાતા વારંવાર રીપેરનું કામ ચાલુ રહેતા જીવલેણ પુલ બન્યો હતો. જેને લઇ ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ પુલ પરથી ટ્રક ચાલક ઓવરટ્રેક કરવા ગયો અને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબક્યાની પણ એક વાત બહાર આવી રહી છે. ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને તે હાલ ફરાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યાં લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં અચાનક જ કાળની થપાટે એકીસાથે 27થી વધુ જાનૈયાનો કાળનો કોળીયો બની ગયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગરના રંઘોળા માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક નિર્દોષ વ્યક્તિઓના વારસદારોને 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના આરોગ્ય અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. મૃતકોના મૃતદેહ પરિવારજનોને તાત્કાલિક સોંપવામાં આવે તથા ઘટનાની તપાસ માટે પણ મુખ્યમંત્રીએ આદેશો આપ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments