Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે કયા ટોચના નેતાને ફટકારી નોટિસ? જાણો વિગત

Webdunia
સોમવાર, 5 માર્ચ 2018 (14:02 IST)
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ તથા કાર્યકરો સામે આકરાં પગલા લેવાની કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ચિમકી આપી હતી. આ ચિમકીનો અમલ કરીને કોંગ્રેસે અગાઉ 47 કાર્યકરો અને નેતાઓને નોટિસ ફટકારી હતી. હવે કોંગ્રેસ બીજા રાઉન્ડમાં વધુ 14 કાર્યકરોને નોટિસ ફટકારી છે.

આ 14 નેતાઓમાં અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માનો પણ સમાવેશ થાય છે. દિનેશ શર્મા જેવા ટોચના નેતાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ નોટિસ ફટકારાતાં ખળભળાટ મચી ગયો છે. દિનેશ શર્મા સામે બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલે ફરિયાદ કરી હતી. દિનેશ શર્મા પણ બાપુનગર બેઠક માટે દાવેદાર હતા, પણ પક્ષે હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપતાં દિનેશ શર્માએ અંદરખાને હિમ્મતસિંહને હરાવ્યાનો આક્ષેપ કરાયો હતો. આ ફરિયાદને ગંભીરતાથી લઈને કોંગ્રેસે દિનેશ શર્માને નોટિસ ફટકારી છે. જોકે, દિનેશ શર્માએ પોતાને આવી કોઈ નોટિસ મળી હોવાનો ઇનકાર કર્યો છે.  કોંગ્રેસે બે જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ અને કમલેન્દ્રસિંહ પુવારને પણ નોટિસ આપી છે. જ્યારે સ્થાનિક નેતાઓ કાલિદાસ પરમાર અને પ્રવીણ વાળાને પણ ખુલાસો કરવા નોટિસ આપી છે. આ સિવાય કોંગ્રેસે કાલિદાસ પરમાર-માતર, હર્ષદ વસાવા-નડિયાદ, જયંતિભાઈ વસાવા- નાંદોદ, દિનેશ તડવી- નાંદોદ, કમલેન્દ્રસિંહ પુવાર-બાયડ અને દિનેશ શર્મા-બાપુનગરને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત અમિત નાયક-બાપુનગર, જીમી શર્મા-બાપુનગર, હિરાભાઈ જોટવા-તાલાલા, ગિરીશ ડોડિયા- દસાડા, સુફિયા મલેક-દસાડા, મનુભાઈ પટેલ-વઢવાણ, પ્રવિણ પરમાર, કડી અને પ્રવિણભાઈ વાળા- મહુવા(ભાવનગર)ને નોટિસ ફટકારી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments