Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવાનને સળગાવ્યાનો મામલો: તંત્રએ માંગો સ્વીકારી લેતાં પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો

વેરાવળ
Webdunia
શનિવાર, 3 માર્ચ 2018 (12:03 IST)
23 ફેબ્રુઆરીએ રાત્રે વેરાવળના આંબલિયાળા ગામના દલિત યુવાન ભરત ગોહેલને ચાર અજાણ્યા શખ્સોએ જીવતો સળગાવી દેતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતા પરિવારે આરોપીઓ ઝડપાય ન જાય તેમજ તેની માંગો ન સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ગીર સોમનાથ પોલીસે મુખ્ય આરોપી દેવાયત જોટવાને ઝડપી લીધો હતો. તેમજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ રાજકોટ દોડી આવ્યા હતા અને દલિત પરિવારની માંગોને લઇને લેખિતમાં ખાતરી આપતા મૃતદેહ સ્વીકારી લીધો હતો. જેમાં પત્નીને નોકરી અને રહેવા ઘરની માંગ કરી હતી.

ભરતના પરિવારજનોએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સમક્ષ માગણીઓ રજૂ કરી હતી જેમાં અન્ય ચાર આરોપીઓને સાત દિવસમાં ધરપકડ કરવી. તપાસનીશ અધિકારીઓ દ્વારા ખાતાકીય પગલા લેવા. ભરતની પત્ની મીરાબેનને 3 મહિનામાં નોકરી આપવી, 30 દિવસમાં રહેવા માટે મકાન આપવું, સમાજ કલ્યાણ વિભાગ પાસેથી 9 લાખ અને વધારાની સહાય આપવાની જોગવાઇ કરવી. જે કલેક્ટરે લેખિતમાં ખાત્રી આપતા પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments