Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના કાયમી પોલિસવડા તરીકે શિવાનંદ ઝાની નિમણૂંક

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:52 IST)
ગુજરાતના નવા ડીજીપી તરીકે 1983 બેચના શિવાનંદ ઝાની નિમણૂંક કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે બુધવારે બપોરે કરી હતી. શિવાનંદ ઝા 2020 એપ્રિલ મહિના સુધી ગુજરાતના ડીજીપી તરીકે કાર્યરત રહેશે. પી સી ઠાકુરની બદલી કર્યા બાદ છેલ્લા લગભગ 22 મહિનાથી વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ડીજીપીની જગ્યા ચાર્જથી ચાલતી હતી. સૌ પ્રથમ પી પી પાન્ડેય, ગીથા જૌહરીને અને ત્યાર બાદ પ્રમોદ કુમારને ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમાયા હતા

જોકે કાયમી ડીજીપીની જગ્યા તે સમયે પણ ખાલી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયગાળા દરમ્યાન પણ ગુજરાતમાં ઈન્ચાર્જ ડીજીપીની જ કામગીરી ચાલી હતી. 1983 બેચના શિવાનંદ ઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અત્યંત વિશ્વાસુ હોવાથી તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. આ ઉપરાંત આગામી વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી આવી રહી હોવાથી ડીજીપી પદે અંગત વ્યક્તિ હોવું જરૂરી હોવાથી શિવાનંદ ઝાની નિમણૂંક કરાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

વધુ જુઓ..

નવીનતમ

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

આગળનો લેખ
Show comments