Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની રજવાડુમાં GST ટીમના દરોડા, 7 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (09:51 IST)
અમદાવાદમાં આવેલી પ્રસિદ્ધ 'રજવાડું' હોટેલમાં સ્ટેટ GST ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અધિકારીઓને ગુરુવારે સવારથી ચાલી રહેલી કાર્યવાહીમાં 7 કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કરોડોના બિનહિસાબી વ્યવહારોને પગલે જ સ્ટેટ GST દ્વારા તાત્કાલિક 16.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજ્યની ઘણી થીમ બેઝ્ડ રેસ્ટોરાં દ્વારા ગ્રાહકો પાસેથી કરોડોનો જીએસટી વસૂલીને સરકારની તિજોરીમાં જમા કરાવતો ન હોવાની વ્યાપક ફરિયાદોને પગલે સ્ટેટ GST હરકતમાં આવ્યું છે.

જેના ભાગરૂપે અમદાવાદની જાણીતી 'રજવાડું' રેસ્ટોરાં ખાતે હિસાબી તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે, તપાસ દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. જોકે, અમદાવાદના એક માત્ર રેસ્ટોરાંમાં જ તપાસ હાથ ધરતાં કરોડોના હિસાબો મળી આવતાં આગામી તબક્કા દરમિયાન સંખ્યાબંધ હોટેલો સામે કાર્યવાહીની શક્યતાઓ છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments