Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાકોર મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી પર સેવકોનો હૂમલો, મંદિરનો વિવાદ ચરમસીમાએ

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (15:38 IST)
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિવાદ ગુરૂવારના રોજ ઉગ્ર બની ગયો હતો. મંદિર બહાર જ થયેલા આ હુમલાથી હાજર શ્રદ્ધાળુઓ પણ ચોંકી ગયાં હતાં.  જોકે, મોડે સુધી આ બાબતે કોઇ ફરિયાદ નોંધાઈ નહતી. સુપ્રસિધ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી ઉપર ગુરૂવારે કેટલાક સેવકોએ મંદિર નજીક જ ગુરૂવારના રોજ હુમલો કર્યો હતો. એટલી હદે માર માર્યો હતો કે મેનેજર રૂપેશ શાસ્ત્રીને મોઢા પર ગંભીર ઇજા પહોંચી હતી.  કેટલાક સેવકોએ મેનેજરની ઓફિસને તાળાબંધી કરી દઇ તેની ચાવી લઇ જતા રહ્યા હતા.

દરમિયાન રૂપેશ શાસ્ત્રી મંદિરના દરવાજા નજીકથી પસાર થતા હતા, ત્યારે કેટલાક સેવકોએ તેમને રોકી ‘તું અમને નકલો કેમ આપતો નથી’ એમ કહી માર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયાં હતાં. આથી રૂપેશ શાસ્ત્રીને તાત્કાલિક 108માં સારવાર માટે કરમસદ હોસ્પિટલે લઇ ગયા હતા.   હું મંદિરના પરિસરમાં પ્રવેશ કરું તે પહેલા મંદિરના એક કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યો છે. મને માથામાં માર્યો છે, નાકમાં લોહી નીકળ્યું છે. દ્વેષ રાખી હુમલો કર્યો છે, આટલી સિક્યુરીટી હોવા છતાં હુમલો કર્યો છે. મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. એવું મેનેજર રૂપેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments