Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત સામાજિક કાર્યકરના અગ્નિસ્નાન મુદ્દે સીએમ રૂપાણી રાજીનામું આપે: મેવાણી

દલિત સામાજિક કાર્યકર
Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (13:32 IST)
પાટણ કલેકટર કચેરી ખાતે દલિત અગ્રણી ભાનુભાઇ વણકરે તેમના પરિવારને સરકારના નિયમ મુજબ ફાળવાયેલી જમીનનો કબજો નહીં સોંપાતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેમાં સંપૂર્ણ રીતે સરકારની જવાબદારી હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપવું જોઇએ તેવી માગણી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ કરી છે. તે સાથે અગાઉથી આત્મવિલોપન કરવામાં આવશે તેવી પાટણના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતા આ બનાવ બન્યો તે બદલ પાટણ જિલ્લા પોલીસ વડા અને પાટણના કલેકટરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવા પણ માગણી કરી છે. છેલ્લા ૩ વર્ષથી ગાંધીનગરના મહેસૂલ વિભાગમાં જમીન મંજૂરીની ફાઇલ પડી રહી છે પણ મંજૂરી અપાતી ન હતી.  મેવાણીએ પાટણની ઘટના બદલ સરકારી તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, દલિતોને નિયમ મુજબ ફાળવાયેલી જમીનનો વાસ્તવિક કબજો સોંપવા છેલ્લા બે વર્ષથી અમારી રજૂઆતો અને આંદોલન છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રની બેદરકારીના કારણે ભાનુભાઈ વણકરે જમીનના એક ટુકડા માટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. એક ગરીબ માણસ આ વ્યવસ્થામાં કઇ હદે ગૂંગળામણ અનુભવતો હોય છે તેનો આ વરવો દાખલો છે. ભાનુભાઇ એ આ પગલું ભરવું પડયું તે માટે રુપાણી સરકાર જવાબદાર છે.  મેવાણીએ વધુમાં જણાવ્યું છે કે,ગુજરાતના દલિતો આ મુદ્દે રોડ ઉપર ઉતરી આવી વિરોધ કરે અને ઉનાકાંડની જેમ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આપે તે જરૂરી છે. પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને અગાઉ જાણ હોવા છતાં ભાનુભાઈને આત્મવિલોપન કરતા રોકી શક્યા નહીં તે બદલ તેમને સસ્પેન્ડ કરી દેવા જોઇએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments