Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજી ડેમમાં નીર ખૂટ્યાં, 31 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (12:33 IST)
રાજકોટ શહેરમાં જનતાની જીવાદોરી સમાન આજીડેમમાંથી પાણી આપવામાં આવે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પાણી બતાવી સૌની યોજનાથી આ ડેમમાં પાણી તો ઠાલવ્યું હતું પરંતુ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે ત્યારે પાણી આજીડેમમાં તો ઠીક ખુદ નર્મદામાં પણ ખૂટવા લાગ્યું છે. આજી ડેમમાં 31 માર્ચ સુધી પાણી ચાલશે. વોટર વર્કસ શાખાના ઇજનેર વી.સી. રાજ્યગુરૂના જણાવ્યા પ્રમાણે આજીડેમમાં માત્ર 31 માર્ચ સુધી લોકોને પાણી મળે તેટલું  રહ્યું છે. સૌની યોજનાથી આજી ડેમમાં ફરીથી પાણી ઠલવાય તેવી રજૂઆત સરકારને કરી છે. સૌની યોજના થકી આજી ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. સૌની યોજના થકી 12થી 14 ફૂટ જેટલો આજીડેમ ભરાયો હતો બાદમાં સારા વરસાદ થતા કુદરતે આજીડેમને ઓવરફ્લો કરી દીધો હતો. આજીડેમ ઓવરફ્લો થતા રાજકોટની જનતા પણ ખુશ હતી. પરંતુ ફરી આજી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. સૌની યોજના થકી આજીડેમ ફરી ભરવામાં આવશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. આજીડેમની સપાટી 29 ફૂટની છે.આજી ડેમમાં સૌની યોજના થકી પંપીંગથી ત્રંબા સુધી પાઇપલાઇનથી પાણી લાવવામાં આવ્યું છે. બાદમાં ત્રંબાથી આજીડેમ સુધી નદી મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. 29 જૂન 2017ના રોજ નરેન્દ્ર મોદીએ આજીડેમનું લોકાર્પણ કર્યું હતું.

સંબંધિત સમાચાર

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments