Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટલના નોકરોને ફટકારનાર બોપલ પોલિસ સ્ટેશનાનાં ચાર કોન્સટેબલની ધરપકડ થશે, સસ્પેન્ડ કરવાનો આદેશ

હોટલ
Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (16:20 IST)
શહેરના એસજી હાઈવે ઉપર આવેલી જય દ્વારાકાધીશ હોટલ ઉપર તા. 31 જાન્યુઆરીના રોજ વહેલી પરોઢે જમવા ગયેલા બોપલના ચાર પોલીસ કોન્સટેબલને જમવાનું નહીં મળતા તેમણે હોટલના બે નોકરોને ઢોર માર માર્યો હતો. આ મામલે સરખેજ પોલીસે મોડે મોડે પોલીસ ફરિયાદ નોંધી હતી. હવે બનાવની ગંભીરતા જોતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી છે, તેમણે ચારેય પોલીસ કોન્સટેબલોને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવાના કાગળો તૈયાર કરી દીધા છે. અગામી કલાકોમાં ફરજ મોકુફીના આદેશની બજવણી પણ થઈ જશે. સાંજ સુધી તેમને ધરપકડ પણ થઈ જશે. આ ઉપરાંત ગ્રામ્ય પોલીસે સરખેજ પોલીસને જાણ કરી છે કે નોકરને ફટકારનાર ચારેય પોલીસ કોન્સટેબલો મુકેશ ગઢવી, પ્રદ્યુમનસિંહ, સાદીક અને હરપાલસિંહને ફરજ મોકુફીનો આદેશ આપવામાં આવે ત્યારે જો સરખેજ પોલીસ તેમની ધરપકડ કરવા માગતી હોય તો તેમણે પોલીસ કોન્સટેબલોનો કબજો મેળવી તેમની ધરપકડ કરવી. બીજી તરફ આ ચારેય પોલીસ કોન્સટેબલોની સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ કોન્સટેબલોના કારસ્તાન અને ક્રુરતા સીસીટીવીમાં કેદ હોવાને કારણે તે પોતાના કૃત્યનો બચાવ કરી શકે તેમ ન્હોતા. છતાં તેમનો પક્ષ એવો હતો કે જે હોટલ માલિક છે તે તેમનો મિત્ર હોવાને કારણે તેઓ ત્યાં જમવા ગયા હતા. પરંતુ તેમના નોકર દ્વારા દુરવ્યવહાર થયો હોવાને કારણે તેમણે નોકરોને માર્યા હતા. આ પોલીસ કોન્સટેબલો કેટલાંક પોલીસ અધિકારીઓની વિશેષ સંભાળ લેતા હતા. જેને પોલીસની ભાષામાં વહિવટદાર કહેવામાં આવે છે, તેના કારણે કોન્સટેબલોએ પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કર્યો હતો. તેઓ માનતા હતા કે તેઓ જેમનો વહિવટ સંભાળે છે તેવા અધિકારી તેમને બચાવી લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments