Webdunia - Bharat's app for daily news and videos

Install App

હટ્યુ પદમાવત ફિલ્મના વિરોધનું ગ્રહણ, ફરીથી ધમધમ્યો વાહનવ્યવહાર

હટ્યુ પદમાવત ફિલ્મના વિરોધનું ગ્રહણ  ફરીથી ધમધમ્યો વાહનવ્યવહાર
Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (10:25 IST)
ગુજરાતમાં 'પદ્માવત'ની  રિલીઝ સામે વિરોધ પ્રદર્શનમાં  તોફાની તત્વોએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસોને ટાર્ગેટ બનાવી હતી. આ સંજોગોમાં એસટીના અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે મુસાફરોને ભારે હાલાકી પડી હતી. જોકે હવે પરિસ્થિતિ કાબૂમાં આવી જતા તમામ રૂટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ વ્યક્ત કરવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી.

તોફાનીઓએ અમદાવાદથી ઉત્તર ગુજરાતના રૂટ પર દોડતી એસટી બસોને મોટાપાયે ટાર્ગેટ બનાવતા આ રૂટ પર બસોનો વાહનવ્યવહાર અટકાવી દેવામાં આ્વ્યો હતો. આજે સવારે પણ મહેસાણા વિભાગના 11 ડેપોના રૂટ હજુ બંધ હતા જ્યારે ઊંઝાથી પાટણ અને અમદાવાદ, પાટણથી ચાણસ્મા-મહેસાણા-અમદાવાદ, હારીજથી ચાણસ્મા-મહેસાણા-અમદાવાદ તેમજ ખેરાલુથી વડનગર-વિસનગર-મહેસાણા-અમદાવાદ રૂટ શરૂ કરવામાં આ્વ્યા છે. જોકે હવે તમામ રૂટ પર બસો દોડતી થઈ ગઈ છે. પદ્માવત ફિલ્મને લઈ ગુજરાતમાં  ત્રણ દિવસથી થતા વિરોધ પ્રદર્શનથી સરકારી સામગ્રીને મોટા પ્રમાણમાં નુકસાન પહોચ્યું હોવાની વિગતો સામે આવી છે. શનિવારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચક્કાજામની ઘટનાઓ ઘટી હતી. શનિવાર રાતથી લઈને હાલમાં સુધીમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ ડેપોની અંદાજે 800થી વધુ બસોના પૈડી થંભી ગયા હતા. તમામ સ્ટેટ હાઈવે બંધ કરી દેતા એસટી નિગમની આવકમાં પણ મોટો ફટકો પડયો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments