Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વરસાદની જેમ જામતું રાજકારણ, આનંદીબેન જૂથના ધારાસભ્યો ભાજપ હાઈકમાન્ડથી નારાજ

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (17:30 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે રાજકીય ગરમીનો પારો વધી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ છોડીને નવો વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે તેમને બેંગ્લુરૂ ભેગા કર્યા છે. તો હવે બનાસકાંઠામાં પુરગ્રસ્તોને મળવા આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પત્થર મારો કરવામાં આવ્યો છે અને કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

આ સિવાય ગુજરાતમાં પુરગ્રસ્તો માટે જાહેર કરાયેલા 1500 કરોડના પેકેજ પર પણ ભાજપમાં આંતરિક ડખો ઉભો થયો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સરકાર દ્વારા બારોબાર લેવાતા નિર્ણયો સામે નાખુશ છે. હવે એક નવો ફતવો પ્રકાશમાં આવ્યો છે.  પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી 5 ઓગસ્ટ ને શનિવારે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદાર સમાજના કાર્યકરોનું સંમેલન પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાવાનું હતું પરંતુ આ સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે. આ સંમેલન રજ કરાયું તે પછી હાર્દિક પટેલે અમદાવાદમાં આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે દાવો કર્યો કે, ભાજપના અમુક ધારાસભ્યો પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં છે. હાર્દિકે દાવો કર્યો છે કે આનંદીબેન પટેલ જૂથના અમુક ધારાસભ્યો પાટીદાર આંદોલનના સમર્થનમાં છે અને એ લોકો ભાજપને હરાવશે.તેણે એવો પણ દાવો કર્યો કે ભાજપના અમુક ધારાસભ્યો પક્ષથી નારાજ છે અને આ નારાજ ધારાસભ્યો ગમે ત્યારે બગાવત કરે તેવી શક્યતા નકારી શકાય નહીં. હાર્દિકે 5 ઓગસ્ટે થનારા પાટીદાર ક્રાંતિ સંમેલનને મોકૂફ રાખવા માટે ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર ભાજપના બાબુ જમનાદાસ પટેલનું દબાણ હોવાનો દાવો પણ કર્યો. આગામી સમયમાં આગળની રણનીતિ વિષે પાસ તરફથી જાહેરાત કરાશે તેવું તેણે નિવેદન આપ્યું છે. હાર્દિકે જણાવ્યું કે, આજે અમદાવાદ ખાતે પાસના કાર્યકરોની મીટીંગમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. હાર્દિકે 26 ઓગસ્ટે પાટણમાં મહાસંમેલન કરવાની જાહેરાત કરી છે તેનું શું થશે તે હવે સવાલ છે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments