Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો બેંગ્લુરૂથી રક્ષાબંધનના દિવસે ગુજરાત પાછા ફરશે

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (15:04 IST)
બેંગ્લુરૂના ઇગલટન રિસોર્ટમાં રાખવામાં આવેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ૭મી ઓગષ્ટે ગુજરાત પરત લાવવામાં આવશે. પક્ષ પોતાના ધારાસભ્યોને રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે ઉજવી શકે તે માટે તેઓને પરત લાવશે. એ પછીના બીજા દિવસે એટલે કે ૮મીએ રાજયસભાની ચૂંટણી માટે વોટીંગ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યુ છે કે, અમારા ધારાસભ્યોને ગુજરાતની બહાર લઇ જવા માંગતા ન હતા પરંતુ ભાજપે અમને આવુ કરવા માટે મજબુર કર્યા છે. ધારાસભ્યો અહી અસુરક્ષા અનુભવી રહ્યા હતા તેથી તેઓને કોંગ્રેસના શાસનવાળા રાજયમાં લઇ જવામાં આવ્યા હતા. હવે તેમને રક્ષાબંધનના દિવસે પરત લાવવામાં આવશે કે જેથી તેઓ પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકે. કોંગ્રેસના ધારાસભ્યો પણ પક્ષના આ નિર્ણયથી ખુશ છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ  અમે તો પહેલેથી વિચારી રાખ્યુ હતુ કે, અમારે બે ધારાસભ્યો બહેનો કામીનીબા રાઠોડ અને ચંદ્રીકાબેન બારીયા સાથે તહેવારો ઉજવવો પડશે પરંતુ હવે અમે અમારા પરિવાર સાથે તહેવાર મનાવી શકશુ. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments