Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલા સહિત ૫૦ ધારાસભ્યોને કોંગ્રેસે વ્હિપ આપ્યો

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2017 (14:08 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત ૫૦ ધારાસભ્યોને વ્હિપ મોકલી આપ્યો છે. કોંગ્રેસે એવી પણ ચિમકી ઉચ્ચારી છેકે, મેન્ડેટનું ઉલ્લંઘન કરાનારા ધારાસભ્યને પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવાની પણ ચિમકી આપવામાં આવી છે.

સૂત્રોના મતે, ભાજપે શામ,નામ,દંડભેદની નિતી અપનાવતા કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને કર્ણાટકના બેંગાલુરૃમાં લઇ જવાયા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સહીથી શંકરસિંહ વાઘેલા ઉપરાંત ૫૦ ધારાસભ્યોને રજી.એડીથી વ્હિપ મોકલી અપાયાં છે. ઉલ્લેખનીય છેકે, શંકરસિંહ વાઘેલા સહિત તેમના જૂથના કેટલાંક ધારાસભ્યોએ હજુ ય રાજીનામુ ધર્યુ નથી. પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું કહેવુ છેકે, ભાજપના સંપર્કમાં હોય,રાજીનામુ ધર્યુ ન હોય તે તમામ કોંગ્રેસી ધારાસભ્યોએ હવ પક્ષના મેન્ડેટનું પાલન કરવુ પડશે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રાજકીય સમીકરણો વધુને વધુ પેચિદા બની રહ્યાં છે. ચૂંટણીના જાહેરનામાં બાદ ચૂંટણીપંચે નોટાનો અમલ જારી કર્યો છે જેના મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે. આમ,રાજ્યસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે અને કોણે પછડાટ ખાવી પડશે તે મુદ્દે રાજકીય ગલીયારીમાં ચર્ચાએ જોર પકડયું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments