Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદ બાદ વકરતો રોગચાળો, રાજકોટમાં Swine Flu થી 36 કલાકમાં ચારના મોત

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2017 (12:58 IST)
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી ભારે નુકસાન થયું છે તો બીજી બાજુ વરસાદ ધીમો થતાં રોગચાળાનો ઉપદ્વવ પણ વધવા માંડ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુની માહિતી બાદ રાજકોટમાં તેના ગંભીર પરિણામો જોવા મળ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ દિવસેને દિવસે વકરતો જાય છે. સ્વાઈન ફ્લુને લીધે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં ચારના મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. 2017ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી થયેલા મોતનો આંકડો 31 સુધી  પહોંચ્યો છે.

જૂનાગઢમાં જોષીપુરામાં રહેતી ક્રિષ્ના નામની બાળકીને રાજકોટની સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ કરાઇ હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા સઘન સારવાર શરૂ કરાઇ હતી પરંતુ 4 દિવસના અંતે બાળકીએ દમ તોડી દીધો હતો. હજી 4 દર્દી પૈકી 3 દર્દીના રિપોર્ટ પોઝિટિવ છે. આ ઉપરાંત દિવના એક વૃધ્ધા, ચોટીલાના પ્રૌઢા અને જામનગરના પ્રૌઢાનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું હતું.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments