Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા

મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા
Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (17:07 IST)
ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે રાજકોટમાં પણ મેઘરાજાએ ભારે પધરામણી કરી હોવાથી રોડનું ધનોતપનોત નિકળી ગયું છે. ત્યારે શહેરના ગોંડલ રોડ પર આવેલો ટ્રાય એંગલ બ્રીજ પહેલેથી જ વિવાદિત રહ્યો છે. શહેરમાં  નવા બ્રીજમાં કૌભાંડ થયું હોય તેવા દ્રશ્યો પ્રજા સામે આવ્યા છે. 2010માં તત્કાલિકન સીએમ હાલના PM નરેન્દ્ર મોદીના હસ્તે  આ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આજે મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે.

આ ગાબડું પડતા તેમાંથી સળિયા બહાર આવી ગયા છે.  જે તે કંપનીએ 46 કરોડનાં ખર્ચે 1.5  કિમીની લંબાઈ ધરાવતો અને 12 મીટર પહોળાઈ ધરાવતો આ બ્રીજ મવડી ગોંડલ રોડના ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવ્યો હતો. ત્યારે 7 વર્ષના ટૂંકા ગાળામાં જ આ બ્રીજમાં ગાબડાં પડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જે-તે સમયે શાસક ભાજપે મોટી-મોટી વાતો કરી હતી કે 50 વર્ષ સુધી આ બ્રીજને કશું જ નહીં થાય. હાલ આ પુલ પરથી ટ્રક, એસટી, સીટી બસ અને રોજના હજારો વાહનો પસાર થાય છે. આ તમામની સલામતી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments