Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદ્યોગોને GST લાગુ થતાં આર્થિક રાહતો બંધ કરાઈ - નીતિન પટેલ

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (13:39 IST)
સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આપવામાં આવતી આર્થિક રાહતો GST લાગુ થતાં બંધ કરી દેવામાં આવી છે, જેને પગલે ઉદ્યોગ નીતિ અંતર્ગત અપાતાં લાભો થયા બંધ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગો ઉપરાંત સરકારી કામો રાખતા કોન્ટ્રાક્ટરોને પણ GSTને પગલે કોઈ રાહત આપવામાં આવશે નહિં તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

નીતિન પટેલે કહ્યું હતું કે ટેક્સમાં થયેલો વધારો મજરે આપવાની કોઈ જોગવાઈ નથી. સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરમાં પણ આવી કોઈ જોગવાઈ નથી. જેને પગલે GSTથી થતો ટેક્સ ભાર કોન્ટ્રાકટરોએ જાતે જ વેઠવો પડશે.  એસોસિએશનના વડાએ રજૂઆત કરતા કહ્યું હતું કે જીએસટીને પગલે નાણાકિય બોજો વધ્યો છે. જેથી જીએસટીનો અમલ ન કરવા અમે માંગણી કરી હતી. ટેક્સમાં વધારો થતાં GSTનો અમલ નહીં કરવા કરેલી માંગણીને દોહરાવી હતી. જેને પગલે નીતિન પટેલે તેમની માંગણીને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.  કોન્ટ્રાક્ટરોને GSTના કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.  GST મુદ્દે ન્યાય નહીં મળે તો યોજના અટકાવવાની રજૂઆત કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર પુરવઠા બોર્ડના પ્રમુખ અનિલ પ્રજાપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન સોમવારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પાસે પ્રશ્નો રજૂ કરવામાં આવતાં તેમણે GST કાઉન્સિલમાં રજૂઆત માટે હૈયાધારણ આપી હતી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments