Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સરકારના ઈશારે આઈબી સક્રિય, સોશિયલ મીડિયા પર વોચ ગોઠવાઈ

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:30 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.  આ મિશન ફળશે કે પછી ભાજપનો ગુબ્બારો ફુટશે તે અંગે ખુદ ભાજપ પક્ષ અને સરકાર બંન્ને દ્વિધામાં છે. આ કારણોસર સરકારના ઇશારે આઇબી કામે લાગ્યું છે અને ભાજપ વિરૃધ્ધ રાજ્યભરમાં શું ચાલી રહ્યું છે તેની  માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે , આઇબીએ સોશિયલ મિડિયા પર વૉચ ગોઠવી છે જેમાં ફેસબુક, ટ્વિટર સહિત સોશિયલ મિડિયામાં કોણ ભાજપ સરકાર વિરૃધ્ધ પોસ્ટ કરે છે , કઇ પોસ્ટને કેટલી લાઇક મળે છે , સરકાર વિરૃધ્ધ કોણે વિડીયો પોસ્ટ કરી છે , કઇ વિડીયો-પોસ્ટને લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે , સોશિયલ મિડિયા થકી કોણ અભિયાન ચલાવી રહ્યું છે તે તમામ મુદ્દે નજર રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત ભાજપને હાલમાં કયા કયા પરિબળો નડી શકે છે તે મામલે ખાનગીમાં માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તે જોતાં કેટલાંક સ્વૈચ્છિક સંગઠનો પર પર આઇબીની નજર રહી છે. પાટીદારો, ખેડૂતો , દલિતો સરકારને ચૂંટણીમાં કેટલા અંશે નડી શકે છે તે મામલે રજેરજની માહિતી એકત્ર કરી સરકારને મોકલવામાં આવી રહી છે.આ ઉપરાંત કયા કયા વિસ્તારમાં કઇ કઇ સમસ્યાને લીધે પ્રજામાં સરકાર વિરોધી રોષ છે તે મુદ્દે પણ આઇબી વિગતો પ્રાપ્ત કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓની રાજકીય હિલચાલ પર નજર રાખવામાં આવી છે. આમ, સરકારના ઇશારે આઇબી સક્રિય બન્યુ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments