Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસલાલી પાસે કારે ટક્કર મારતા ઓવરલોડ પેસેન્જરો ભરેલી રીક્ષા પલટી, ચારના મોત

Webdunia
મંગળવાર, 27 જૂન 2017 (12:29 IST)
અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ઓવરલોડ પેસેન્જરો ભરેલી રીક્ષાઓ સરેઆમ રસ્તાઓ પર ફરી રહી છે. પોલીસ આ રીક્ષાઓને દંડવાની જગ્યાએ તેમની પાસેથી હપ્તો લઈને મનફાવે તેમ ફરવા દે છે અને આકસ્મીક અકસ્માતના બનાવો નોતરે છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે અસલાસી ચાર રસ્તા પર  અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.

કાર ચાલકે ટક્કર મારતાં રીક્ષા પલટી ગઈ હતી, રીક્ષામાં 9 લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકમાં 18 વર્ષીય યુવક મહેન્દ્ર વણઝારાનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહારન અસર થઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી હતી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments