Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરેલીમાં વાછરડાંનું મારણ કરતા સિંહને ઘોડીએ ભોંય ભેગો કર્યો

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (13:01 IST)
અમરેલીમાં સિંહોની અવર-જવર વધી ગઈ છે. ત્યારે ખાંભાના ભાડ ગામે માલધારીના પશુવાડામાં એક વૃદ્ધ સિંહ ઘુસી ગયો હતો.આ સિંહે ઘરના પશુવાડામાં 3 વાછરડાનું મારણ પણ કર્યું હતું. ત્યારબાદ સિંહે પશુવાડામાં બાંધેલ ઘોડી પર નિશાન સાધ્યું હતું. જો કે આ બાબત સિંહને ભારે પડી ગઈ હતી અને ઘોડીએ લાતો મારી સિંહને પછાડ્યો હતો. સિંહનો સામનો કરી ઘોડીએ પોતાના માલિક અને એક બળદનો જીવ બચાવ્યો હતો.

સિંહ અને ઘોડી વચ્ચે રીતસરની ફાઇટ જામી હતી. જેને નિહાળવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મોડીરાત્રે વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ખાસ્સી જહેમત પછી દોઢ વાગ્યે વનરાજને ઘરમાંથી બહાર કાઢતાં ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા હતા. ખાંભા-તુલસીશ્યામ રેન્જના આરએફઓના કહેવા મુજબ આ સિંહની અવસ્થા આવી ગઈ છે. બે દિવસ પહેલાં જ મિતિયાળા જંગલમાં તેને માંસ અપાયું હતું પણ એ ખાઈ શક્તો ન હોવાથી ડોક્ટર પાસે તેને સારવાર અપાઈ હતી. તેમના કહેવા મુજબ આ સિંહની વધુ સારવાર માટે તેને ફરી પકડવામાં આવશે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments