Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર યુવકને લઈ સરકારની સમીક્ષા બેઠક, નગરપાલિકા પર પત્થર ફેંકાયા, બસોના રૂટ બંધ કરાયા

Webdunia
બુધવાર, 7 જૂન 2017 (15:11 IST)
જેલમાં પોલીસના મારથી બલોલના પાટીદાર યુવકનું  મોત થયું હોવા છતાં પોલીસે જવાબદારો વિરૂદ્ધ ફરિયાદ લેવાનો નનૈયો ભણતા પાટીદારોએ આજે મહેસાણા બંધનું એલાન આપ્યું છે. અજાણ્યા ટોળાંએ મહેસાણા નગરપાલિકા પર પથ્થર મારો કરીને રોડ સાઈડના કાચ તોડ્યા હતાં. તેમજ પેટ્રોલ ભરેલી બોટલો પણ ફેંકવામાં આવી હતી.  મહેસાણા સિવિલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

મૃતક કેતન પટેલનું પી.એમ થયા બાદ મૃતદેહને વતન લઈ જવાશે જ્યારે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. મહેસાણામાં પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં મહેસાણાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી જ્યારે કાયદો અને વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત એસ.ટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. મોઢેરા, રાધનપુર રોડ પરના બસના રૂટ બંધ કરાયા છે. તકેદારીના ભાગરૂપે એસટી રૂટ બંધ કરવામાં આવ્યા છે.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments