Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ભવ્ય રામ મંદિર બનાવવા અલ્પેશ ઠાકોર સરકાર પાસે 50 વિઘા જમીન માંગશે

Webdunia
બુધવાર, 31 મે 2017 (18:18 IST)
રાજ્યમાં વ્યસન મુક્તિ અને દારૂ બંધીના કડક અમલની માગણી સાથે આંદોલન કરી રહેલા ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ ભવ્ય રામમંદિર બનાવવા માટે સરકાર પાસે અમદાવાદ જિલ્લામાં ૫૦ વીઘા જમીનની માગણી કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યની ૮૭ જેટલી વિધાનસભાની બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની પણ તૈયારી શરૂ કરી છે. સોમનાથમાં ઓ.બી.સી. એકતા મંચના અલ્પેશ ઠાકોર વિજય સંકલ્પ યાત્રા સાથે સોમનાથમાં પહોંચ્યા બાદ ત્યાં તાકીદની કારોબારીની બેઠક બોલાવી હતી.

જેમાં મુખ્ય ૩પ કોર કમિટીના સભ્યોએ બંધબારણે ચર્ચા કરવામાં આવી હતી. ૮૭ વિધાનસભામાં બૂથ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ૧પ થી રપ તારીખમાં જાહેર સભા કરવામાં આવશે મુખ્ય ત્રણ મહાસંમેલન રાજકોટ, ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં મહાસંમેલનો યોજાશે તેમાં ધારાસભ્યો પાસેથી હિસાબ માગવામાં આવશે તેમની કામગીરીની ઉઘરાણી કરવામાં આવશે. અયોધ્યામાં રામમંદિર બને કે ના બને, પરંતુ ગુજરાતમાં અમદાવાદ ખાતેના ચલોળા ગામે પ૦૦ વિઘા માગવા માટે અમારું પ્રતિનિધિમંડળ વિજય રૂપાણી પાસે જવાનું છે, રામમંદિર અયોધ્યામાં બનવાનું હતું તેવું જ રામ મંદિર ગુજરાતમાં બનશે અને તેનું ભૂમિપૂજન ૧૮મી જૂન ૨૦૧૭ના રોજ કરાશે, એવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. સરકાર પાસે પાંચ માગણીઓ કરવામાં આવેલ છે જેમાં ગુજરાતમાં તમામ ખેડૂતોને ખેતર સુધી પાણી આપવા, ગુજરાતમાં તમામ બેરોજગારોને રોજગારી આપવા, ગુજરાતમાં સસ્તું શિક્ષણ યોગ્ય ગુણવતાવાળું અને તમામ સરકારી સ્કૂલોનું નવીનીકરણ, ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરવા વગેરેનો સમાવેશ થાય છે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments