Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળ જેવી ઘટના ગુજરાતમાં ઘટી તો આજીવન કારાવાસ - વિજય રૂપાણી

કેરળ. ગુજરાત
Webdunia
બુધવાર, 31 મે 2017 (12:49 IST)
કેન્દ્ર સરકારના પશુઓને કતલખાને જતાં રોકવા માટે લાગુ કરેલા કાયદાના વિરોધમાં કેરળમાં યુવા કોંગ્રેસ દ્વારા ખુલ્લેઆમ વાછરડાની હત્યા કરી બીફ પાર્ટી યોજવામાં આવી હતી તેના મુદ્દે સમગ્ર દેશમાં આકરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખી યોજવામાં આવેલા સરપંચ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. રૂપાણીએ કહ્યું કે, ‘આ ગુજરાત છે, ગૌ માતાની હત્યા કરશે એને જન્મટીપ થશે. આ કેરળ નથી, ગુજરાત છે. આ કોંગ્રેસ નથી. ભાજપ છે જ્યાં ગાય માતાની રક્ષા એ અમારો ધર્મ છે. ગાયની હત્યા કરનારને જન્મટીપ.’ગાયની ખુલ્લંખુલ્લી હત્યા કરીને કોંગ્રેસ શું મેસેજ આપવા માગે છે.’ તેમ કહી રૂપાણીએ ઉમેર્યું કે, ‘દેશના કરોડો લોકો માટે ગાય, ગીતા, ગંગા એ શ્રધ્ધાનું પ્રતિક છે. ૩૩ કરોડ દેવી-દેવતાઓનો આ ગાય માતામાં વાસ છે.

એની હત્યા માટે દેશની જનતા પાસે ગુજરાત કોંગ્રેસે પણ માફી માગવી જોઈએ.ભાજપના આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ‘ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ગાય માતાને નામે રાજનીતિ કરીને સમાજને ગુમરાહ કરી રહ્યો છે. રાજ્યમાં ભાજપના ૨૨ વર્ષના શાસનમાં હજારો એકર ગૌચરની જમીન ભ્રષ્ટાચારીઓને આપી છે અને રાજ્યમાં ગૌચર રહ્યું ન હોવાથી ગાયને પ્લાસ્ટિક ખાવા મજબૂર બની છે અને રીબાઈને મરે છે.’તેમણે વધુમાં કહ્યું કે, ‘ કોંગ્રેસે તો કેરળના કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે અને અમારા ટોચના નેતાઓએ માફી પણ માગી લીધી છે. પરંતુ ભાજપના નેતાઓ ગૌમાંસની વકીલાત કરે છે તેનું શું? તેમના નેતાએ જ જાહેરમાં કહ્યું હતું કે તેઓ ગૌમાંસની પાર્ટી કરશે. તો પછી તેમની સામે કેમ પગલા લીધા નથી.’
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

આગળનો લેખ
Show comments