Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 12 % - સૌરાષ્ટ્રમાં 18 % વરસાદ ‘ઓછો’ થવાની હવામાનશાસ્ત્રીઓએ શક્યતા વ્યક્ત કરી

Webdunia
મંગળવાર, 9 મે 2017 (12:03 IST)
અખાત્રીજ બાદ ખેડૂતોએ ખેતરમાં ખેતી કાર્યોના શ્રીગણેશ કરી દીધા છે. ઉનાળુ પાકની લણણી કરી બજારમાં પહોંચાડવા સાથે ખરીફપાક માટે ખેતર ખેડીને વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વર્ષે ચોમાસુ નબળુ રહેવાનો હવામાન વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે. એક્સટેન્ડેડ લોંગ રેન્જ ફોરકાસ્ટ હેઠળ ગુજરાતમાં 12 ટકા અને સૌરાષ્ટ્રમાં 18 ટકા વરસાદ ઓછો થવાની હવામાનશાસ્ત્રીની આગાહી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે “ચોમાસાના જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ ગુજરાતમાં 874 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 523 મિમી વરસાદ થાય છે. ચોમાસામાં વરસાદની જુદા જુદા મોડેલ હેઠળ આગાહી કરવામાં આવે છે. એક્સટેન્ડેડ લોંગ રેન્જ ફોરકાસ્ટ હેઠળ ગુજરાતમાં 12 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 ટકા વરસાદ ઓછો થવાની આગાહી કરવામાં આવી છે. વિશ્વકક્ષાએ અલનીનોથી ચોમાસાને પ્રભાવિત કરે છે.’ ભારતમાં પણ 4 ટકા વરસાદ ઓછો થવાની શક્યતા છે. ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ચોમાસુ નબળુ રહી શકે છે. હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે “મે મહિનામાં સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં મે મહિનામાં સરેરાશ ગુજરાતમાં 4.8 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 મિમી વરસાદ થાય છે. જેની સામે ગુજરાતમાં 7 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 9 મિમી એટલે સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments