Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરોડા પાટીયા હત્યાકાંડ કેસની અપીલમાં ડૉ.માયાબેન કોડનાની અરજી પરનો ચુકાદો અનામત

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2017 (13:21 IST)
નરોડા પાટીયા હત્યાકાંડ કેસની અપીલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત આઠ આરોપીઓને તપાસવાની માગણી કરતી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થતાં તેના પરનો ચુકાદો અનામત રખાયો છે અને ૧લી મે ના રોજ જાહેર થાય તેવી શક્યતા છે. ૨૦૦૨ ના ગોધરાકાંડ બાદના કોમી તોફાનોમાં નરોડા પાટીયા ખાતે સર્જાયેલા હત્યાકાંડમાં ભાજપના તત્કાલિન મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી માયાબેન કોડનાનીને ૨૮ વર્ષની સજા થઇ છે અને આ સજા સામે તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ અપીલની સુનાવણી દરમ્યાન તેમણે અરજી કરીને માગણી કરી છે કે અમિત શાહ સહિત આઠ સાક્ષીઓને આ કેસમાં તપાસવા જોઇએ જેથી સાચી હકીકત કોર્ટના ધ્યાનમાં આવે. હાઇકોર્ટ આવો વધારાનો પુરાવો લેવાની સત્તા ધરાવે છે. ન્યાયના હિતમાં આ સાક્ષીઓને તપાસવા જોઇએ. હાઇકોર્ટે આ અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments