Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં માત્ર 38 જ કતલખાનાને પરમિશન, બેરોકટોક ધમધમતા કતલખાના

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2017 (12:58 IST)
ગુજરાત રાજ્યમાં 39% લોકો નોનવેજ ખાય છે. આ મુદ્દે કેગએ પણ ટિકા કરી હતી કે, ગુજરાતના પાંચ શહેરોમાં ખાદ્યસુરક્ષા અને માનકઅધિનિયમ હેઠળ પરવાના વિના કતલખાના ચાલી રહ્યાં છે છતાં સરકારે કોઇ પગલાં લીધા નથી. ગુજરાતની શાકાહારી રાજ્ય તરીકેની છાપ ભૂસાતી જાય છે. સરકાર દ્વારા માંસ અને તેની પ્રોડક્ટના નમૂના લેવામાં આવતાં નથી. કતલખાનાના મામલે સરકાર વધુ રસ દાખવતી નથી.


રાજ્યમાં માત્ર 38 જેટલાં જ કતલખાના સરકારી પરમિશનથી ચાલે છે. જ્યારે ગેરકાયદેસર કતલ અંગે સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ ચુપ છે. કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, માર્ચ 2016ની સ્થિતિએ ગુજરાતમાં માત્ર 55 માંસની દુકાનોની નોંધણી થઇ હતી. જામનગર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પરવાના વિના કતલખાના ચાલી રહ્યાં છે. તેમ છતાં કોઇ પગલાં ભરાયા નથી. કેગએ એવી પણ ગંભીર નોંધ લીધી હતી કે સરકાર દ્વારા માંસ અને માંસની પ્રોડક્ટના નમૂના લેવામાં આવતાં નથી અને તેનું પરીક્ષણ પણ કરવામાં આવતું નથી. કતલખાનાઓને એફએસએસ અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સરકારી પરમિશનવાળું માત્ર એક જ કતલખાનું છે. જેનું સંચાલન અને દેખરેખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ કતલખાનામાં મોટા અને નાનાં પશુઓને લાવવામાં આવે છે અને આરોગ્ય વિભાગના પરીક્ષણ બાદ તેનું કતલ કરવામાં આવે છે. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments