Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના ખોખરામાં 13મા માળેથી મહિલાએ ઝંપલાવ્યું. વૃદ્ધ પર પડતાં તેમનું પણ મોત

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (12:20 IST)
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરીસ્કાર ફ્લેટના 13માં માળેથી મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં મહિલા સાથે એક વૃદ્ધનો પણ જીવ ગયો છે. મહિલા 13મા માળેથી નીચે ઉભેલા વૃદ્ધ પર પટકાતાં બંનેના મોત થયા છે.પ્રાપ્ત અહેવાલ મુજબ અમદાવાદના ખોખર વિસ્તારમાં આવેલા પરીસ્કાર-2 બિલ્ડીંગના E બ્લૉકમાં એક મહિલાએ 13માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. સુરતથી ભાઈના ઘરે સારવાર માટે આવેલી 30 વર્ષીય મમતા કાઠીએ પરિવારને જાણ બહાર કૂદકો માર્યો હતો.મમતાબેન નીચે ઉભેલા 69 વર્ષના બાબુભાઈ દિવાકર ગામીત પર પટકાતાં બંને જણાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ખોખરા ખાતે પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.મમતા કાઠી સુરતથી બીજી ઑક્ટોબરે જ સારવાર માટે આવ્યા હતા. આજે વહેલી સવારે આઠ વાગ્યે તેઓ પરિવારની નજર બહાર 13માં પહોંચી ગયા હતા અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાએ એક નિર્દોષ વ્યક્તિના જીવનો પણ ભોગ લઈ લીધો હતો.ઘટના બાદ રહીશોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ખોખરા વિસ્તારમાં ચકચાર મચાવી હતી.

સંબંધિત સમાચાર

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments