Webdunia - Bharat's app for daily news and videos

Install App

Night Curfew, And New Sop - કોરોનાના કેસ વધતા રાજ્યમાં નિયંત્રણો સાથે નવી ગાઈડલાઈન, બહાર નીકળતા પહેલા જાણી લો શુ રહેશે ચાલુ અને શુ રહેશે બંધ

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (23:02 IST)
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
 
રાજયના અમદાવાદ શહેર, વડોદરા શહેર,સુરત શહેર, રાજકોટ
શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર, ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર, અને
 નડીયાદમાં દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6  વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યું અમલમાં રહેશે.
- જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે. જો કે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. 
- નવી ગાઇડલાઇન 8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
- દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે
 
- હોટલ,રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે
 
- હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી
- લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
- બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
- મુસાફરોને રેલવે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.
- આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
- અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments