Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા બ્રિજના નામકરણ મુદ્દે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક: ભાજપ ભરાઈ પડે તેવી સ્થિતિ

Webdunia
ગુરુવાર, 21 નવેમ્બર 2019 (14:31 IST)
ઘણા વર્ષો પછી ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપને રાજકીય ગતિવિધિમાં માત આપવા માટેનો માસ્ટર સ્ટ્રોક માર્યો છે જોકે આ પ્રકારની વ્યુહ રચના કોઈ મોટા ગજાના નેતાએ કરી નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના નાના નેતાએ કરી છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બે નવા ઓવરબ્રિજ બનાવાયા છે અને તેનું લોકાર્પણ પણ કરી દેવાયું છે પરંતુ આ બંને બ્રિજના નામ હજુ સુધી આપ્યા નથી આથી કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ એક દરખાસ્ત કરીને કોર્પોરેશનને આપી છે.

 જેમાં તેઓએ જણાવ્યું છે કે વાસણા અને પાલડીને જોડતા અંજલી ચાર રસ્તા ઉપર નવા બંધાયેલા ફ્લાયઓવરને છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ એવું નામ આપવું જોઈએ કારણકે લોકોના દિલના સાચા હ્રદય સમ્રાટ હતા તેમજ મોગલ સામ્રાજ્ય સામે સ્વાભિમાનની લડત લડીને મરાઠા સામ્રાજ્યને અડીખમ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હિંદુત્વના પ્રખર સાચા હિમાયતી એવા છત્રપતિ શિવાજી મહારાજની યાદ સદા રહે તે માટે પાલડી અંજલી ચાર રસ્તા પાસેના નવનિર્મિત બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ આપવું જોઈએ.

જ્યારે આશ્રમરોડ ઈન્કમટેક્સ ચાર રસ્તા નજીક બંધાયેલા ફ્લાય ઓવર બ્રિજનું નામાભિધાન શહીદ વીર ચંદ્રશેખર આઝાદ ફ્લાય ઓવર બ્રિજ આપવું જોઈએ. કારણકે ચંદ્રશેખર આઝાદીની મહત્વની ભૂમિકા નિભાવી હતી તેઓ આજીવન લડત આપીને કોમી એકતાના પ્રખર હિમાયતી રહ્યા હતા. તેઓએ અંગ્રેજોની હકૂમત સામે બળવો કરીને શહીદી વહોરી હતી. તેઓ ભાઈચારા ઉત્તમ પ્રતિક સમા શહીદ વીર ગણવામાં આવે છે.

આમ હવે જો ભાજપ કોંગ્રેસની આ દરખાસ્તને સ્વીકારી લેશે તો બંને નામ આપવા માટેની ક્રેડિટ કોંગ્રેસને મળશે તેમજ કોંગ્રેસ શહીદો માટે કેટલું મહત્વ ધરાવે છે તેનો લાભ પણ કોંગ્રેસને મળશે અને જો ભાજપ કોંગ્રેસની માગણી નહીં સ્વીકારે તો લોકોમાં ભાજપની છાપ ખરડાઇ જશે કારણકે કોંગ્રેસે જે નામ સૂચવ્યા છે તેને દેશભરના લોકો શહીદ અને દેશપ્રેમી ગણે છે જેથી ભાજપને કોંગ્રેસ ની દરખાસ્ત સરકારમાં કે તેને ફગાવી દેવામાં નુકસાન જ છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments